કેન્દ્ર સરકારે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે જનરલ પ્રોવિડન્ટ ફંડ (જીપીએફ) પર મળનારા નવા વ્યાજદરની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલયના આર્થિક વિભાગે એક નોટિફિકેશન ઈશ્યૂ કરીને જણાવ્યું છે કે જાન્યુઆરીથી માર્ચ-2020 માટે જીપીએફ પર 7.9 ટકાના દરે વ્યાજ મળશે.
કેન્દ્ર સરકારે નવા વ્યાજદરની જાહેરાત કરી
GPF પર 7.9 ટકા વ્યાજદરની જાહેરાત કરાઈ
જીપીએફ કર્મચારીઓ માટે એક પ્રકારનું રિટાયર્મેન્ટ પ્લાનિંગ
જીપીએફ એ માત્ર સરકારી કર્મચારીઓ માટે એક પ્રકારનું રિટાયર્મેન્ટ પ્લાનિંગ છે, કારણ કે આ રકમ કર્મચારીને રિટાયર્મેન્ટ બાદ મળે છે. સરકારી કર્મચારી પોતાની સેલરીના 15 ટકા સુધીની રકમ જીપીએફમાં જમા કરાવી શકે છે. મહેકમ, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયની વેબસાઇટ અનુસાર એક વર્ષ પૂરું કરનાર હંગામી કર્મચારી, રિએમ્પ્લોઇડ પેન્શનર્સ અને તમામ કાયમી સરકારી કર્મચારી જીપીએફ-1960 હેઠળ આવે છે અને પેન્શન શરૂ થવાના ત્રણ મહિના પહેલાં જ જીપીએફનું સબસ્ક્રિપ્શન બંધ થઇ જાય છે.
જીપીએફ ખાતામાંથી કર્મચારી જરૂર પડ્યે રકમ ઉપાડી શકે છે
જીપીએફ ખાતાનો એડ્વાન્સ ફિચર એ છે કે તેમાં કર્મચારી જરૂર પડ્યે નિર્ધારિત રકમ ઉપાડી શકે છે અને પાછળથી તેમાં જમા કરાવી શકે છે અને તેના પર કોઇ વ્યાજ લાગતું નથી. દર ક્વાર્ટરની શરૂઆત સાથે જ કેન્દ્ર સરકાર જીપીએફ તેમજ સ્મોલ સેવિંગ્સ સ્કીમ પર અપાતા વ્યાજદરને રિવાઇઝ કરે છે.