મોદી સરકાર જન ઔષધિ કેન્દ્રની સંખ્યા વધારવા માંગે છે. સરકારે જાહેરાત કરી છે કે, ''તમામ બ્લોકમાં જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવશે.'' સરકારની આ જાહેરાત તમારા મદદમાં આવશે. જો તમે પણ જન ઔષધિ કેન્દ્ર ખોલીને લગભગ 30000 રૂપિયા મહિને કમાઇ શકો છો. જાણો કઇ રીતે તમે પણ ખોલી શકશો જન ઔષધિ કેન્દ્ર...
શું છે સરકારની યોજના?
2020 સુધી દેશના તમામં બ્લોકમાં જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવશે જેનાથી ગ્રામીણ સ્તર પર લોકોની સસ્તી અને ગુણવત્તાપૂર્ણ જેનરિક દવાઓ લઇ શકશે.
- દેશમાં અત્યાર સુધી 5000 જન ઔષધિ કેન્દ્ર અત્યાર સુધી શરૂ કરવામાં આવ્યા છે અને હવે બ્લોક સ્તર પર આ કેન્દ્રો ખોલીને તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. હાલમાં પ્રતિદિવસ 10-15 લાખ લોકો જન ઔષધિ કેન્દ્રોથી દવાઓ લઇ રહ્યા છે. વર્ષ 2016માં એક વર્ષ દરમિયાન જન ઔષધિ કેન્દ્રોથી જેટલી દવાઓ વેચાણ થયુ હતુ તેટલું વેચાણ હવે 1 મહિના દરમિયાન થાય છે.
- જો તમે સેન્ટરની મદદથી મહિનામાં જેટલી દવાઓ સેલ કરશો, આ દવાઓના 20% તમને કમિશનના રૂપે મળશે.
- ટ્રેન્ડ માર્જિન અનુસાર સરાકર મંથલી સેલ પર 10% ઇન્ટેસિવ આપશે, જે તમારા બેંક એકાઉન્ટમાં આવશે.
- આ રીતે દુકાનદારને ટ્રેડ માર્જિન સિવાય ઇન્સેન્ટિવના રૂપમાં ડબલ નફો થશે, એટલે કે 1 મહિનામાં 1 લાખ રૂપિયાની દવાનુ વેચાણ થાય તે મંથલી 25-30 હજાર રૂપિયાની ઇન્કમ થશે.
આ રીતે મળશે ઇન્ટેન્સિવ:
ઇન્ટેસિવ દર મહિનામાં થનારી દવાઓની સેલ પર 10% રાખવામાં આવશે. જોકે તેની લિમિટ 10000 રાખવામાં આવી છે.
આ રીતે કરો અરજી:
- સ્ટોર ખોલવા માટે તમારી પાસે રિગલ ડ્રગ કરવાનો લાઇસન્સ જન ઔષધિ સ્ટોરના નામથી હોવું જોઇએ.
- જે વ્યકતિ અથવા એજન્સી સ્ટોર ખોલવા ઇચ્છે છે તેમણે http://janaushadhi.gov.in/ પર જઇને ફોર્મ ડાઉનલોડ કરવાનું રહશે.