બોલિવૂડના જાણીતા એક્ટર ગોવિંદા અને અભિનેતા કૃષ્ણા અભિષેક વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તો હવે ગોવિંદાએ મૌન તોડ્યું છે, જાણો શું કહ્યું.
ગોવિંદા અને અભિનેતા કૃષ્ણા અભિષેક વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે
ગોવિંદાએ તોડ્યું મૌન અને કહી આ વાત
સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે બંને વચ્ચેનો મતભેદ
બોલિવૂડ એક્ટર ગોવિંદાનું કહેવું છે કે કોઈ તેના ભાણીયા કૃષ્ણા અભિષેકને તેના વિરૂદ્ધ ભડકાવી રહ્યું છે. ગોવિંદા અને કૃષ્ણા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંને કપિલ શર્મા શોમાં સાથે દેખાવા પર પણ ના પાડી ચૂક્યા છે. ત્યારે હવે ફરી એકવાર ગોવિંદાએ કૃષ્ણા વિશે વાત કરી છે.
ગોવિંદાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, કૃષ્ણાને સારો વ્યક્તિ છે. જેને કોઈ ખોટો રસ્તો દેખાડી રહ્યો છે. ગોવિંદાને એવું પણ લાગે છે કે, તેને કૃષ્ણાના કરિયરને સપોર્ટ કરવાની સજા મળી રહી છે, કારણ કે, ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મને લઈને ઘણી વાતો સામે આવી ચૂકી છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલાં ઇન્ટરવ્યૂમાં ગોવિંદાએ કહ્યું કે, 'મને નથી ખબર કે આ બધું તેની પાસે કોણકરાવી રહ્યું છે. તે સારો વ્યક્તિ છે. આ બધું કરાવીને કોઇ ફક્ત મજા લઇ રહ્યું છે પણ તેનાથી મારી ઈમેજ ખરાબ થઇ રહી છે. જે પણ તેની પાછળ છે તે ઇચ્છે છે કે અમારા વચ્ચે કંઇ સારુ ન થાય. તેણે આગળ કહ્યું- જુઓ, હું પણ નેપોટિઝ્મનો વિક્ટિમ રહ્યો છું. આ એ સમય હતો જ્યારે મને કામ મળવાનું બંધ થઈ ગયું હતું. મૈં અમિતાભ બચ્ચનને પણ સ્ટ્રગલ કરતા જોયા છે. તેઓ સ્ટેજ પર આવતા અને ઈન્ડસ્ટ્રીના લોકો તેમને જોઈને જતા રહેતા હતા. મને નથી ખબર કે મને કૃષ્ણાને સપોર્ટ કરવાની સજા મળી રહી છે, કારણ કે તેમણે એને છોડી દીધો અને મને પકડી લીધો.
ગયા વર્ષે ગોવિંદાએ કૃષ્ણા સાથે જોડાયેલા વિવાદ પર કહ્યું હતું કે, આ વિશે તેને પબ્લિકમાં વાત કરવી પસંદ નથી. સાથે જ ગોવિંદાએ કહ્યું હતું કે, તેણે સાંભળ્યું છે કે, એક શોમાં તે આવવાનો છે એટલે કૃષ્ણા ત્યાં પર્ફોમ નહીં કરે. આ સાથે જ ગોવિંદાનું કહેવું છે કે, કૃષ્ણા અને તેની પત્ની કશ્મીરાએ સોશિયલ મીડિયા પર તેના વિરૂદ્ધ ઘણું બધું કહ્યું છે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું કે, હું આ નિવેદનથી જાહેરાત કરું છું કે હું દબર રહી અને જે લોકો મને પસંદ નથી કરતા એ પણ મારાથી દૂર રહે.
ગોવિંદાએ એવું પણ કહ્યું હતું કે, પરિવારમાં મતભેદ થતો રહે છે પરંતુ તેને મીડિયામાં ચર્ચાનો વિષય બનાવવો ખોટું છે અને તેનાથી ઘણી પરેશાનીઓ થઈ શકે છે. મને બધાં ખોટો સમજે છે, તો ભલે સમજતા.