કાશ્મીર ખીણમાં ધીમે ધીમે હાલત સુધરી રહી છે પરંતુ સરહદ પારના કેટલાક તત્વોને આ વાત માફક આવી રહી નથી. તે લોકો કાશ્મીરમાં શાંતિ ઈચ્છતા નથી આથી તેઓ છૂપાઈને કાશ્મીર ભય ફેલાવાવા અને શાંતિ ડહોળવાના પ્રયાસ સતત ચાલુ રાખે છે. પરંતુ ભારતીય સેના દુશ્મનોની દરેક હરકતના જવાબ સારી રીતે આપવાનું જાણી ગઈ છે.
હવે રક્ષાત્મક નહી, આક્રમક છે ભારતની નવી રણનીતિ
મોર્ટારથી હુમલાનો તોપથી અપાશે જવાબ
સર્જિકલ સ્ટ્રાઈક અને તે પછી એરસ્ટ્રાઈક ત્યારબાદ હવે જાણે આતંક પર ભારતે નવી રણનીતિ અખત્યાર કરીને પાકિસ્તાનને એક વધારે ઝટકો આપ્યો છે. પાકિસ્તાને કરેલા સીઝફાયરના ઉલ્લંઘનો જવાબ ભારતે જડબાતોડ રીતે આપ્યો છે. પાકિસ્તાને મોર્ટારથી કરેલા હુમલાનો જવાબ ભારતે તોપગોળાથી આપ્યો છે.
ગંભીર પરિણામ માટે તૈયાર રહેવા સેના પ્રમુખની ચેતવણી
ભારતે સરહદ પર આતંકીઓ સામેની કાર્યવાહી કરીને કેટલાક આંતકીઓને ઠાર કર્યા છે. આ આતંકીઓ ભારતમાં ઘુસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ સાથે ત્રણ આતંકી કેમ્પોને ધ્વસ્ત કરી નાખ્યા છે. એટલું જ નહીં આતંકીઓને બચાવવા તેમની ઢાલ બનતા પાકિસ્તાના 10 જેટલા જવાનોને પણ ઠાર કરી નાખ્યા છે. સેના પ્રમુખે ચેતવણી પણ આપી છે કે, પાકિસ્તાન જો સરહદ પર આવી ગતિવિધિ ચાલુ રાખશે તો તેણે ગંભીર પરિણામ માટે તૈયાર રહેવું પડશે.
ભારતીય સેનાએ છોડી થોભો અને રાહ જુઓની રણનીતિ
ઉલ્લેખનીય છે કે, ભારતે આતંકીઓ અને આતંકીને શરણ આપનારાઓને પોતાની નવી રણનીતિનો પરચો બતાવીને એ સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે, આતંકીઓને તેમની હરકત માટે ત્યાંને ત્યાં ખામોશ કરી દઈશું. આથી હવે પહેલાથી જ ટેરર ફંડીંગ માટે બધી બાજુથી ઘેરાયેલા પાકિસ્તાનન ભારતની નવી રણનીતિથી સ્તબ્ધ થઈ ગયું છે. વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરનારા પાકિસ્તાનને છેલ્લાં ચાર વર્ષમાં ભારત તરફથી ત્રણ મોટા પગલાંના કારણે એ સંદેશ મળી ગયો છે કે, ભારતી સેનાએ હવે થોભો અને રાહ જોવોની રણનીતિ છોડી દીધી છે.
#WATCH J&K Governor Satya Pal Malik on Indian Army using artillery guns to target terrorist camps in PoK: Terrorist camps ko hum bilkul barbaad kar denge,aur agar ye nahi baaz aaye to hum andar jayenge pic.twitter.com/rKII2nsbZ2
હવે ભારતનો વલણ રક્ષાત્મક નહીં પરંતુ આક્રમક બની ગયું છે. સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટાઈક બાદ ભારતીય સેના હવે લો ઈન્ટેન્સિટી કોન્ફ્લીક્ટ એટલે કે ઓછી તીવ્રતાની અથડામણ કરીને આતંકીઓને મોટાપાયે સફાયો કરી શકે છે. જમ્મૂકાશ્મીના રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ પાકિસ્તાનને આક્રમક નિવેદન આપતા કહ્યું હતું કે, જો પાકિસ્તાન હજુ પણ નહીં સુધરે તો ફરીવાર પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું
ટેરર ફંડિગ પર પહેલાથી જ ઘેરાયેલું પાકિસ્તાન હવે પીઓકેમાં ભારતીય સેનાના પગલાંથી આંકડાનો ખેલ કરી રહ્યું છે. તે આંતકઓને સામાન્ય નાગરિકો તરીકે રજૂ કરી રહ્યું છે. આમ કરીને તે પોતાને ત્યાં ચાલતી આતંકની ફેક્ટરીને છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. પરંતુ પાકિસ્તાનને ખબર નથી તે દુનિયા સામે ઘણા વર્ષોથી ઊઘાડું પડી ચૂક્યું છે.