રાજ્ય સરકાર સામે માનવ અધિકાર ભંગના આક્ષેપ મામલે રાજ્યપાલ કચેરી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજ્યપાલ કચેરી તરફથી ખુલાસો કરતા કહેવાયું છે કે સરકાર સામે હાલમાં કોઇ તપાસ સોંપવામાં આવી નથી. પત્ર સંબંધિત વિભાગમાં જરૂરી કાર્યવાહી અર્થે મોકલવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર સામે માનવ અધિકાર ભંગના આક્ષેપનો મામલો
રાજ્યપાલ કચેરી તરફથી કરવામાં આવી સ્પષ્ટતા
સરકાર સામે હાલમાં કોઇ તપાસ સોંપવામાં આવી નથીઃ રાજ્યપાલ કચેરી
કોરોના મહામારી વચ્ચે એવી ચર્ચા ચાલી હતી કે રાજ્ય સરકાર સામે રાજ્યપાલે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે હવે આ અંગે રાજ્યપાલ કચેરી તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે. કચેરી તરફથી જણાવ્યું છે કે, રાજ્યપાલ તરફથી કોઇ અહેવાલ મંગાવામાં આવ્યા નથી. રાજ્ય સરકાર સામે તપાસની માત્ર અફવા છે.
મહત્વનું છે કે કોંગ્રેસના ધારાસભ્ચ શૈલેષ પરમારે રાજ્યપાલને પત્ર લખ્યો હતો અને માનવ અધિકાર ભંગ મુદ્દે તપાસ કરાવવા રજૂઆત કરી હતી. ત્યારબાદ એવા સમાચાર મળ્યા હતા કે રાજ્યપાલે રાજ્ય સરકાર સામે માનવ ભંગ બદલ તપાસના આદેશ આપ્યાં છે. પરંતુ રાજ્ય સરકાર સામે કોઇ તપાસના આદેશ ન અપાયા હોવાનો ખુદ રાજ્યપાલ કચેરી તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે.
શું હતો મામલો?
વિધાનસભાના ઉપનેતા શૈલષ પરમાર દ્વારા રાજ્યપાલને આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલની નિષ્ફળતા સામે પત્ર લખ્યો હતો. તેમણે પત્ર લખી આરોગ્ય ક્ષેત્રે નિષ્ફળ રહેલી સરકાર સામે માનવ અધિકારના ભંગ પગલાં લેવાની રાજ્યપાલ સમક્ષ માંગ કરી હતી.