જમ્મુ-કશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે 50 હજાર સરકારી નોકરીઓની જાહેરાત કરી. આગામી 3 મહિનામાં જમ્મુ-કશ્મીરના યુવાનોને નોકરી આપવાની જાહેરાત કરી. તેમજ આડકતરી રીતે તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા.
જમ્મુ-કશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ જમ્મૂ કશ્મીરમાં પરિસ્થિતિ તંગ હતી. જેને લઈને વહિવટી તંત્ર દ્વારા અંકુશ લગાવવામાં આવ્યો હતો. જો કે હાલ અંકુશ ધીમે ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સરકાર દ્વારા જમ્મુ-કશ્મીર અને લદાખના વિકાસનું કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે. તેમ પણ તેમણે કહ્યું હતું.
રાજ્યપાલે કહ્યું કે, 'અમારી માટે દરેક કાશ્મીરીનો જીવ મહત્વનો હોય છે. અમે એક પણ જીવને નુકસાન થાય એવું નથી ઇચ્છતા, કોઇ પણ નાગરિકનો જીવ ગયો નથી, કેટલાંક લોકો જે હિંસક થવા જઇ રહ્યાં હતાં તેઓ ઘાયલ થયાં છે અને તેમને પણ કમરની નીચેનાં ભાગમાં ઇજાઓ પહોંચી છે.
J&K Governor Satyapal Malik: Every Kashmiri life is valuable to us, we don't want loss of even a single life. There has been no civilian casualty, only the few who got violent are injured,they also have below the waist injuries. pic.twitter.com/JIFJcBfKyU
આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો કે જમ્મુ-કાશ્મીર પર કેન્દ્ર સરકાર મોટી જાહેરાત કરી શકે છે. આ સાથે જ મલિકે એમ પણ જણાવ્યું હતું કે, જે નેતાઓ કલમ 370ના હિમાયતી હતા તેમને આગામી ચૂંટણીમાં લોકો જૂતા મારશે
સત્યપાલ મલિકે રાજ્યમાં ઇન્ટરનેટ પ્રતિબંધ પર કહ્યું કે, 'ઇન્ટરનેટ આતંકવાદીઓ અને પાકિસ્તાનને માટે હથિયાર બની ગયું હતું. રાજ્યપાલ મલિકે કહ્યું કે, અમે કુપવાડા અને હંદવાડામાં મોબાઇલ ફોન સેવા ચાલુ કરવા જઇ રહ્યાં છીએ, જલ્દી અમે બીજા જિલ્લાઓમાં મોબાઇલ ફોન કનેક્ટિવિટી ચાલુ કરી દેવામાં આવશે.'
વધુમાં તમને જણાવી દઇએ કે જમ્મુ અને કાશ્મીરથી કલમ 370 હટાવ્યાં બાદથી રાજ્યપાલ સત્યપાલ મલિકે ઘાટીની હાલત પર નજર બનાવી રાખી છે. તેઓ સતત અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યાં છે. તાજેતરમાં જ તેઓએ અધિકારીઓને મોદી સરકારની યોજનાઓનો ફાયદો સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો નિર્દેશ કર્યો.
J&K Governor Satyapal Malik: We today announce 50,000 jobs in J&K administration, we will appeal to the youth to get involved with full vigour, in coming 2-3 months we will fill these positions pic.twitter.com/0xrWBwn2hA
તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી 85 યોજનાઓનો ફાયદો સીધો જમ્મુ, કાશ્મીર અને લદ્દાખનાં સામાન્ય લોકો સુધી 30 દિવસની અંદર પહોંચાડવામાં આવે. સત્યપાલ મલિકે જનતાનાં નામે સંદેશમાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરનાં ભાઇ-બહેનો માટે છેલ્લાં કેટલાંય સપ્તાહમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યાં છે. આ નિર્ણય જમ્મુ-કાશ્મીરનાં લોન્ગ ટર્મ ફાયદાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યાં છે.