આપણા દેશમાં રાજકીય નેતાઓ સાથે તેમનો ભભકાદાર રસાલો જોડે જ રહેતો હોય છે. કેટલાય લોકો આ VIP કલ્ચરના વિરોધમાં રહ્યા છે. આવા સમયે કેટલાક સિનિયર નેતાઓ આ પ્રકારનો ઝાકઝમાળથી દૂર રહીને સાદાઈપૂર્વક ફરવું પસંદ કરે છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજકોટમાં આવી જ રીતે પોતાની સાદાઈનો પરિચય આપ્યો હતો.
ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસની રાજકોટની મુલાકાતે છે , ગઈકાલે તેમણે સ્વચ્છતા અભિયાન માં ભાગ લીધો હતો આ ઉપરાંત ગાંધીજી જ્યાં પરિવાર સાથે રહેતા તે કબા ગાંધીના ડેલાની પણ મુલાકાત લીધી લીધી હતી.
આજે સાંજ સુધી તેઓ રાજકોટમાં છે , રાજકોટ ની બે દિવસની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમની સાદાઈ નો પરિચય આપ્યો હતો. રાજકોટમાં ગઈકાલે શનિવારે તેઓ લાખાજીરાજ મુખ્ય માર્કેટમાં કોઈ મોટી સુરક્ષા વિના પગપાળા નીકળ્યા હતા અને વ્યક્તિગત રીતે વેપારીઓને મળ્યા હતા અને તેમની સમસ્યાઓને પણ સાંભળી હતી.
કાર્યક્રમો નો દોર સાંજે પૂરો થયા બાદ તેઓ શહેર ની વચ્ચે આવેલા સર્કિટ હાઉસ પર ગયા હતા, સાંજે સાતેક વાગ્યે રાજ્યપાલશ્રી ઇવનિંગ વોકમાં નીકળ્યા હતા . સાથે કોઈ સુરક્ષા કર્મી વિના એકલા જ સર્કિટ હાઉસ ની આસપાસ તેઓ ચાલ્યા હતા. આચાર્ય દેવવ્રતજી આ સાદાઈ જોઈને રાજકોટવાસીઓ પણ દંગ રહી ગયા હતા.