વર્ષ 2019માં આચાર્ય દેવવ્રતને ગુજરાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ ચાર વર્ષ પહેલા હિમાચલના રાજ્યપાલ રહી ચૂક્યા હતા.
ગુજરાતના રાજ્યપાલ દ્વારા ડોક્ટર્સ દિવસ પર ટકોર
કોરોના મહામારીમાં નકલી દવાઓ અને કાળાબજારી થઈ
રાજભવનમાં હવન યજ્ઞ કરવાની શરૂઆત પણ તેમણે જ કરાવી હતી
ગુજરાતના રાજ્યપાલ દ્વારા ડોક્ટર્સ દિવસ પર ટકોર
આજે રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ છે. આ દિવસ પર ઇંડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. PM મોદીએ આ અવસર પર પણ ડોકટર્સને સંબોધન કર્યું હતું. પણ બીજી બાજુ ગુજરાતના રાજ્યપાલ દ્વારા ડોક્ટર્સ પર અલગ જ પ્રકારની ટિપ્પણી કરી હતી. તેમણે ડોકટરો પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ડોકટરો પર આરોપ લાગવ્યા હતા કે તે લોકો ચોરી કરતાં હોય છે. આ સાથે તેમણે ભારતની શિક્ષણ વ્યવસ્થા પર સવાલો કર્યા હતા.
કોરોના મહામારીમાં નકલી દવાઓ અને કાળાબજારી થઈ
એક મીડિયા રિપોર્ટ અનુસાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, કોરોના મહામારીમાં નકલી દવાઓ અને નકલી ઇન્જેક્શનો વહેચવામાં આવ્યા, ઑક્સીજનની ચોરી કરવામાં આવતી. આ બધુ અભણ કે મજૂરો કે ખેડૂતો દ્વારા નથી કરવામાં આવી રહ્યું, પણ ભણેલા ગણેલા, જેમની પાસે પાસે ડિગ્રીઓ છે, ડોકટર-એન્જિનિયર દ્વારા આ બધુ કરવામાં આવ્યું.પાપ, ભ્રષ્ટાચાર, બેઈમાની, આ બધુ જ ભણેલા ગણેલા લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો પછી આ ડિગ્રી અને ભણતરનો શું મતલબ?
રાજભવનમાં હવન યજ્ઞ કરવાની શરૂઆત પણ તેમણે જ કરાવી હતી
વર્ષ 2019માં આચાર્ય દેવવ્રતને ગુજરાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ ચાર વર્ષ પહેલા હિમાચલના રાજ્યપાલ રહી ચૂક્યા હતા. તેમણે હિમાચલના રાજભવનમાં ચાલતી બ્રિટિશ કાળથી ઉજવાતી બ્રિટિશ પરંપરાઓને બંધ કરાવીને રાજભવનમાં હવન યજ્ઞ કરવાની શરૂઆત કરવી હતી. તેમના આ નિર્ણયને લોકોએ બિરદાવ્યો હતો.