રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે શુક્રવારે હાઇકોર્ટે પોતાના ચુકાદામાં સચિન પાયલોટને રાહત આપી હતી અને હાલ યથાવત્ સ્થિતિ જાળવવા આદેશ આપ્યો હતો. જે બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલને મળવા ગયા હતા, વિધાનસભાના સત્રને બોલાવવાની માંગ કરી હતી.
રાજસ્થાન ઘણાસાણ વચ્ચે રાહુલ ગાંધીનું ટ્વીટ
રાજસ્થાનમાં સરકાર ઉથલાવવાનું ભાજપનું કાવતરું
રાજ્યપાલે બોલાવવું જોઇએ વિધાનસભા સત્ર
ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ સત્રની જાહેરાત ન કરે તેવી સ્થિતિમાં તેમની સાથે તેમના સમર્થક ધારાસભ્યો પણ હતા જે રાજભવન ખાતે ધરણા પર બેઠા હતા. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, રાજ્યપાલે વિધાનસભા સત્ર બોલાવવું જોઇએ.
આ બધાની વચ્ચે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા બહાર આવી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ટ્વિટ કર્યું હતું કે રાજસ્થાન સરકારને પાડવાનું ભાજપનું કાવતરું સ્પષ્ટ છે, રાજ્યપાલે વિધાનસભા સત્ર બોલાવવું જોઈએ.
देश में संविधान और क़ानून का शासन है।
सरकारें जनता के बहुमत से बनती व चलती हैं।
राजस्थान सरकार गिराने का भाजपाई षड्यंत्र साफ़ है। ये राजस्थान के आठ करोड़ लोगों का अपमान है।
राज्यपाल महोदय को विधान सभा सत्र बुलाना चाहिए ताकि सच्चाई देश के सामने आए।#ArrogantBJP
રાહુલ ગાંધી પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ગેહલોત સરકાર વિરૂદ્ધ બળવો કરનાર અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટ પર નિશાન સાધ્યું હતું, સિબ્બલે કહ્યું કે તમે ફક્ત 20-25 ધારાસભ્યોના ટેકાથી કોઈ રાજ્યના મુખ્યમંત્રી નહીં બની શકો. કોંગ્રેસ નેતાએ શુક્રવારે એક ન્યૂઝ કોન્ફરન્સ દ્વારા રાજસ્થાન હાઈકોર્ટમાંથી પાઇલટને મળેલ તાત્કાલિક રાહતના થોડા કલાકો બાદ આ વાત કહી હતી.