આજે નવસારીમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય મુલાકાતે આવ્યા હતા. તેમણે કૃષિ યુનિવર્સીટી ખાતે પ્રાકૃતિક ખેતીને લઈને ખેડૂતોને આહવાન કર્યું હતું. ખેડૂત પુત્ર અને રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
પ્રાકૃતિક ખેતી માટે આહવાન
7 જિલ્લામાં કૃષિ નિષ્ણાંતોની નિમણૂંક
દેશી પધ્ધતીથી ખેતીની સલાહ અપાઇ
ભયાનક અને જીવલેણ રોગોએ આપણી જ પેદા કરેલી આડઅસર છે. કારણ કે આજે ઉત્પાદન વધારવાની લ્હાયમાં અને વધુ કમાણી કરવાની ડોટમાં રાસાયણિક ખાતરનું ઝેર જમીનને નષ્ટ કરી રહ્યું છે. તેના દ્વારા પકવેલ અનાજ માણસોને રોગ પણ અર્પણ કરી રહ્યા છે ત્યારે આપણે હવે જાગી જવાની જરૂર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
પ્રાકૃતિક ખેતી માટે 7 જિલ્લામાં કૃષિ એક્સપર્ટની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે ફરી પાછું આપણે તમામ ખેતરોમાં કુદરતની દેન ગણાતું કુદરતી ખાતરનો ઉપયોગ કરીને જમીન અને માનવજાતને બચાવવા પર ભાર મુક્યો હતો. જેમાં ગાય આધારીત ખેતીમાં ગૌમૂત્ર ગોબર અને જીવામૃતથી થતી કુદરતી ખેતી જ ફરી ક્રાંતિ કરી શકશે.
પ્રાકૃતિક ખેતીના સેમિનારમાં ખેડૂતોએ પોતાના અનુભવ કાર્યક્રમમાં આવેલ વિશાળ ખેડૂત સમૂહને જણાવ્યા હતા. સાથે ગ્રામ્ય પંથકના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સમજણ આપે તે માટે દરેક તાલુકા પ્રમાણે કન્વીનરની નિમણૂંક કરવામાં આવી છે.
વધુમાં રાજ્યપાલે ગૌમાતાને તિલક કરવા કરતાં એમની સેવા કરવી બદલામાં આપણને અમૃત આપશે અને સુભાષ પાલેકરની ઓર્ગેનિક ખેતી પદ્ધતિમાં વિશેષ રસ લેવાની વાતો કરી હતી. જમીનમાં વધી રહેલ ઓર્ગેનિક કાર્બન માટે જીવામૃત જ બેસ્ટ વિકલ્પ બન્યું છે. ત્યારે રાસાયણિક ખાતરને તિલાંજલિ આપી આપણી દેશી પધ્ધતીથી ખેતી કરવાની સલાહ આપી હતી.