ગુજરાતના બાટોદ જિલ્લામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બોટાદ ખાતે પ્રજાસત્તાક દિવસ પર ત્રિરંગો ફરકાવ્યો અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ એ સમયે ત્યાં હાજર રહ્યા
ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બાટોદમાં કર્યું ધ્વજવંદન
ગુજરાતના બોટાદમાં પહેલી વખત આવા પ્રકારનો કાર્યક્રમ યોજાયો
74મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી
ભારત આજે 26 જાન્યુઆરીએ 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. એવામાં ગુજરાત જિલ્લામાં રાજય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે અને ગુજરાતના બોટાદમાં પહેલી વખત આવા પ્રકારનો કાર્યક્રમ યોજાયો છે. 26 જાન્યુઆરી આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ બંને બોટાદ જિલ્લામાં યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી.
સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બાટોદમાં કર્યું ધ્વજવંદન
આજે રાજયમાં જુદા જુદા જિલ્લાઓમાં પ્રજાસતાક દિન પર્વની ઉજવણી થઈ રહી છે અને ગુજરાતના બાટોદ જિલ્લામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બોટાદ ખાતે પ્રજાસત્તાક દિવસ પર ત્રિરંગો ફરકાવ્યો અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ એ સમયે ત્યાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતા દેખાયા અને મુખ્ય ધ્વજવંદન સમારોહની અધ્યક્ષતા પણ કરી છે.
74મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બોટાદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો હતો. એટહોમ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મુખ્ય સચિવ પંકજકુમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલએ સૌને 74મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
Live: ૭૪ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે બોટાદ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ. https://t.co/ls2pLLEg34
બોટાદની ધરતી કલા, સાહિત્ય અને સંસ્કૃતિની ધરતી છે: રાજ્યપાલ
એટહોમ કાર્યક્રમને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે ભારત લાંબી ગુલાબી બાદ આઝાદી પ્રાપ્ત કરીને આજે ગૌરવપૂર્ણ રીતે 74મું પ્રજાસત્તાક પર્વ ઊજવવા જઈ રહ્યું છે. રાજ્યની ધરતીના સપૂત અને વિશ્વ નેતા એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાષ્ટ્રીય પર્વને જિલ્લા મથકોએ યોજવાની નવી પરંપરા સ્થાપી છે, જે પ્રશંસનીય અને અનુકરણીય છે. બોટાદની ધરતી કલા, સાહિત્ય અને સંસ્કૃતિની ધરતી છે. સૌરાષ્ટ્રનો હિસ્સો એવું બોટાદ આજે વિકાસની નવી પરિપાટી ઉપર આગળ વધી રહ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
ભારત આજે ફરી વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે: રાજ્યપાલ
વધુમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે વિશ્વનો ઇતિહાસ સાક્ષી છે કે ભારત એક માત્ર એવો દેશ છે કે જેણે સામેથી કોઈ દેશ ઉપર આક્રમણ કર્યું નથી. આધ્યાત્મિક સંસ્કૃતિનું જતન કરનાર ભારત આજે ફરી વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે. ભારતે હંમેશા ભૂમિ નહીં પરંતુ આત્મા અને મન જીતવાનો અભિગમ અપનાવ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે ભારતની લાંબી ગુલામીના મૂળમાં વધુપડતી લક્ષ્મીનો આવિર્ભાવ અને તેને કારણે આવેલાં દૂષણો હતાં. દેશમાં એકતાનું અભાવ હતો જેને કારણે ગુલામી લાંબી ચાલેલી. જોકે, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામથી લઈને પૂજ્ય ગાંધીબાપુ, સરદાર પટેલ અને ભારતની આઝાદી માટે લડનારા લાખો લોકોના બલિદાનને કારણે ભારત આઝાદ થયું. આજનો દિવસ બલિદાન આપનારા સ્વાતંત્ર્યવીરોને નમન કરવાનો પણ અવસર છે, એવું તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું.
'ભારત આજે અખંડ ગણરાજ્ય છે'
રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે ભારત આજે અખંડ ગણરાજ્ય છે અને ઝડપથી વિકાસ સાધી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતે વિકાસની નવી ઊંચાઈઓ સાધી છે. ભારત આજે જી-20 દેશોનું નેતૃત્વ કરવા જઈ રહ્યું છે, એ ગૌરવની બાબત છે.
રાજ્યપાલએ રાજ્યના નાગરિકોને માતૃભૂમિને સમર્પિત થવા માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું અને જણાવ્યું હતું કે માતૃભૂમિના રક્ષણની ભાવના દરેક નાગરિકમાં પ્રસરવી જોઈએ.