કહેવાય છે કે ખોટો રસ્તો ક્યારે પણ આપણને સાચી જગ્યાએ પહોંચવા દેતો નથી..અને કદાચ એક વખત ખોટો માર્ગ અપનાવીને યોગ્ય જગ્યાએ પહોંચી પણ જાવ તો આખરે સત્ય તો ઉજાગર થઈ જ જાય છે..પણ જ્યારે સત્ય સામે આવે છે ત્યારે દુનિયાની સામે શરમાવાનો વારો આવે છે..આવું જ કંઈક થઈ રહ્યું છે ભ્રષ્ટ અધિકારીઓ સાથે..રાજ્યમાં કૌભાંડોના વણઝારની વચ્ચે હવે રસ્તાઓ પણ ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે...પહેલા વડોદરા અને હવે બોટાદના સામે આવેલા વીડિયોએ રોડ-રસ્તા બનાવવા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને પોલંપોલને ઉઘાડી પાડી છે..ભ્રષ્ટાચારના આવા પૂરાવાને જોતા સવાલ એ થાય છે કે જે રોડ રસ્તા 2014 પહેલા દેશમાં ઉદાહરણરૂપ બનેલા હતા તેમાં જ રસ્તા હવે ભ્રષ્ટચારથી ખદબદી રહ્યા છે? શું આવી રીતે રાજ્યનો વિકાસ થશે...? કાળા ડામરનો કાળો વેપાર કરી મલાઈ હજમ કરનારા સામે ક્યારે કાર્યવાહી કરાશે..? આ જ તમામ બાબતો પર આજનું મહામંથન...