નર્મદા જિલ્લાના ધમણાચા પાસે વરસો પહેલા વરસાદી પાણીના ધસમસતા પ્રવાહના કારણે રસ્તો પૂરી રીતે ધોવાઈ ગયો હતો.ત્યાર બાદ થી સતત ગ્રામજનોની માગણી છતાં કોઈ નક્કર કાર્યવાહી થતી નથી.
રાજ્યના છેવાડાનાં વિસ્તાર સુધી વિકાસના દાવા
નર્મદાના ધમણાચાથી ધાનપોર વચ્ચે પૂલ જ નથી
ગ્રામજનોને પરગામ જવા 20 કિલોમીટરનો ફેરો
ગુજરાતમાં અપ્રતિમ વિકાસનાં દાવાઓ વચ્ચે નર્મદા જીલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં બે ગામને જોડતા રસ્તા પર પૂલ માટે માંગણી કરવામાં આવી છે. વરસો પહેલા વરસાદી પાણીના ધસમસતા પ્રવાહના કારણે રસ્તો પૂરી રીતે ધોવાઈ ગયો હતો.ત્યાર બાદ થી સતત ગ્રામજનોની માગણી છતાં કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. આ પરિણામે, ગ્રામજનોએ ફરીથી પોતાની માગણી દોહરાવી છે.
માત્ર 500 મીટરનું અંતર છતાં વિકાસ નહિ
નર્મદા જિલ્લાના ધમણાચાથી ધાનપોર ગામ વચ્ચે પુલ બનાવવા ગ્રામજનોમાં ઉગ્ર માંગ ઉઠી છે. બે ગામ વચ્ચે માત્ર 500 મીટર જેટલુ અંતર હોવા છતાં સ્કૂલ, ખેતરે કે રાશન લેવા જવું હોય ગ્રામજનોએ જીવના જોખમે નદી ઓળંગીને જવાની ફરજ પડી રહી છે. અથવા તો ગ્રામજનોએ 15 થી 20 કિમી ફરીને જવું પડે છે. જેથી આસપાસના ગ્રામજનો લાંબા સયમથી નદી પર પુલ બનાવવાની માંગ ઉઠાવી રહ્યા છે. જેનો ફાયદો 15 થી 20 ગામોને મળી શકે તેમ છે.
વરસો પહેલા વરસાદી પાણીમાં થયું હતું ધોવાણ
વર્ષો પહેલાં ધનપોરથી સીધી ધમણાચા એસ.ટી બસ આવતી હતી. પરંતુ કરજણ ડેમ દ્વારા એક સામટુ 1 લાખ ક્યુસેક જેટલુ પાણી છોડવામાં આવતા નદી પરનો રસ્તો ધોવાઈ ગયાનુ સામે આવ્યુ છે. આ પાણીના કારણે ગ્રામજનોની અનેક વિઘા જમીન પર ઘોવાઈ ગઈ છે.. અત્રે ઉલ્લેખનીય છે કે, નદીને પાર ખેડૂતોના ખેતરો આવેલા છે પરંતુ પરંતુ પુલ ના હોવાના કારણે નદીને પાર જઈ ખેતી કરવી ખેડૂૂતો માટે મુશ્કેલ બની ગઈ છે. આમ પુલ ન હોવાને કારણે અનેક મુશ્કેલીઓને સામનો કરી રહેલા આસપાસના ગ્રામજનો લાંબા સમયથી પુલની માંગ કરી રહ્યા છે.