હકિકતમાં 18 ઓક્ટોબરે ટ્વીટરે પોતાના પ્લેટફોર્મ પર લેહની જિયો-ટેગ લોકેશનને જમ્મુ કાશ્મીર ચીનમાં દર્શાવ્યું હતુ. જેના પર ભારત સરકારે ભારે વાંધો ઉઠાવ્યો છે. આઈટી સચિવ અજય સાહનીએ ટ્વીટરને સ્પષ્ટ કરી દીધુ છે કે લેહ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખનો ભાગ છે અને લદ્દાખ તથા જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. જે ભારતના સંવિધાન દ્વારા શાસિત છે.
સચિવ અજય સાહનીએ ટ્વીટરને સ્પષ્ટ શબ્દોમાં એમ પણ કહ્યું કે ટ્વીટરે ભારતના લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. ટ્વીટર દ્વારા ભારતની સંપ્રભુતા અને અખંડતા - જે નક્શા દ્વારા પરિલક્ષિત થાય છે તેની સાથે કરવામાં આવેલી છેડતાડ સ્વીકાર્ય નથી. અને આ કાયદાનો પણ ભંગ છે. ટ્વીટરને કડક શબ્દોમાં ચેતવણી આપતા આઈટી સચિવે લખ્યું કે આવા એવા કામો ન કરો જેનાથી ટ્વીટરની ન ફક્ત ઈમેજ ખરડાય બલ્કી ટ્વીટરની તટસ્થતા અને નિષ્પક્ષતા પર પણ સવાલ ઉભા થાય.