કોરોના વાયરસમાંથી દેશના ઉદ્યોગોને બહાર કાઢવા યુવાનોને રોજગારી મળે તે માટે સરકારે બીજુ રાહત પૈકેજ લાવી શકે છે. નાણા સચિલ અજય ભૂષણ પાંડેએ તેના સંકેત આપ્યા છે. તેમણે એક મીડિયા એજન્સી સાથે વાત કરતા જણાવ્યું તે સરકાર બીજા પ્રોત્સાહન પેકેજ પર કામ કરી રહી છે.
અમે ઉદ્યોગ નિકાસો, વ્યાપાર સંઘો, વિભિન્ન મંત્રાલયોની સલાહ લેતા રહ્યા
વીજળીની ખપત, નિકાસ અને આયાતમાં વૃદ્ધિ જોવા મળી
તેમણે જણાવ્યું કે સરકાર સતત જમીની સ્તર સુધી સ્થિતિનું નિરિક્ષણ કરી રહી છે. સાથે અર્થવ્યવસ્થાના કોઈ પણ સેક્ટરના ભાગમાં કોઈ પણ સમય પર મદદ પુરી પાડી શકાય તેના પર કામ કરી રહી છે. તેમણે કહ્યું તે અમે ઉદ્યોગ નિકાસો, વ્યાપાર સંઘો, વિભિન્ન મંત્રાલયોની સલાહ લેતા રહ્યા છીએ.
અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ વિશે વાત કરતા પાંડેએ કહ્યું કે અર્થવ્યવસ્થા પાટે ચઢી રહી છે અને નિરંતર વિકાસ તરફ આગળ વધી રહી છે. ઓક્ટોબરમાં જીએસટી સંગ્રહ 105, 155 કરોડ રુપિયા રહ્યો છે. જે પાછળ ગત વર્ષ માટે મહિના માટે વર્ષના આધાર પર 10 ટકા વધારે છે. આ ઉપરાંત દેશમાં વીજળીની ખપત, નિકાસ અને આયાતમાં વૃદ્ધિ જોવા મળી છે.
ભૂષણે કહ્યું કે ઈ વે બિલ અને ઈ ચલની સાથે જીએસટી સંગ્રહના આંકડા મળીને સંકેત આપે છે કે અર્થવ્યવસ્થા ન ફક્ત સુધારા પર છે પરંતુ વૃદ્ધિના પથ પર ઝડપથી પાછી ફરી રહી છે. ચાલુ વર્ષમાં એપ્રિલ- ઓક્ટોબર દરમિયાન સંકલ પ્રત્યક્ષ કરી સંગ્રહ પાછલા નાણા વર્ષની સમાન સમયની સરખામણીએ 22 ટકા ઘટીને 4.95 લાખ કરોડ રુપિયા રહ્યું છે.
We gave several stimulus packages after March, in a series. FM made announcements in different months. In every announcement, deserving sections of economy and deserving sections of society were covered. This is a continuous process: Finance Secretary Ajay Bhushan Pandey to ANI pic.twitter.com/eYwBr5PUqp
તેમણે કહ્યું કે જો આપણા કર સંગ્રહ પ્રણાલીમાં સુધારો ન થતો તો મહામારીનો આર્થિક પ્રભાવ ઘણો વધારે હોત. ગત વર્ષ આપણે ફેસલેસ મૂલ્યાંકન, ફેસલેશ અપીલ, એસએફટી,ટીડીએસ લાગુ કરીને રોકડ નિકાશ પર પ્રતિબંધ જેવા પગલા ભર્યા છે.