આ યોજના હેઠળ 15,000 રૂપિયાથી ઓછી સેલેરી વાળા લોકો અને બેરોજગાર લોકોને પણ લાભ મળે છે.
ભારત રોજગાર યોજનાના ત્રીજા ફેઝમાં 12 નવી યોજનાઓ શરૂ કરવામાં આવી
આ યોજનાઓથી દેશની અર્થવ્યવસ્થામાં સુધારો કરવામાં આવશે
સરકાર કરવા જઈ રહી છે 22 હજાર કરોડ કરતા પણ વધારે ખર્ચ
કોરોના મહામારી બાદ દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ભારત સરકારે આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ આ વર્ષે પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે 28 જૂને આર્થિક રાહત પેકેજનું એલાન કર્યું. હવે આત્મનિર્ભર ભારત રોજગાર યોજનામાં 31 માર્ચ 2022 સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. પહેલા તેની અંતિમ તારીખ 30 જૂન 2021 હતી. આ યોજના હેઠળ 15,000 રૂપિયાથી ઓછી સેલેરી વાળા લોકો અને બેરોજગાર લોકોને પણ લાભ મળે છે.
27.1 લાખ કરોડનું રોકાણ
ભારત રોજગાર યોજનાના ત્રીજા ફેઝમાં 12 નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓથી દેશની અર્થવ્યવસ્થામાં સુધારો કરવામાં આવશે. સરકાર આ યોજનાઓમાં રિઝર્વ બેન્કની સાથે મળીને 27.1 લાખ કરોડનું રોકાણ કરી રહી છે. આ રકમ દેશની જીડીપીના 13% છે.
71.8 લાખ રોજગાર ઉભા થવાની સંભાવના
સરકારની આ પહેલ દ્વારા ઔપચારિક ક્ષેત્રમાં 71.8 લાખ રોજગાર ઉભા થવાની સંભાવના છે. ત્યાં જ આ યોજનાનો સમયગાળો વધવાથી અંદાજે ખર્ચ વધીને 22,098 કરોડ રૂપિયા થઈ ગયો છે. એબીઆરવાયના હેઠળ ઈપીએફઓમાં રજીસ્ટર્ડ સંસ્થાઓના એવા કર્મચારી, જેમની સેલેરી 15,000 રૂપિયાથી ઓછી છે તેમને લાભ થશે. આ યોજના હેઠળ સરકાર પણ EPFમાં યોગદાન આપે છે. સરકાર EPFOમાં કર્મચારીઓની સેલેરીના 24 ટકા અથવા 12 ટકા ભાગ આપે છે. સરકાર 2 વર્ષ સુધી આ યોગદાન આપે છે.
21 લાખ કર્મચારીઓને થઈ ચુક્યો છે ફાયદો
18 જૂન 2021 સુધી એબીઆરવાય હેઠળ 79,557 સંસ્થાઓના 21.42 લાખ કર્મચારીઓને લાભ થયો છે. તેના માટે સરકારે 902 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. સરકારનું લક્ષ્ય લાભાર્થીની સંખ્યા 50 લાખ સુધી પહોંચાડવાનો છે. તેના માટે સરકારે આત્મનિર્ભર ભારતના ત્રીજા અભિયાનની શરૂઆત કરી છે.