વડોદરામાં ટ્રક અને છકડા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 10 લોકોને કાળ આંબી જતા આ કરુણ ઘટનાને લઇને CM ભુપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું છે અને સહાયની જાહેરાત કરી છે.
CM ભુપેન્દ્ર પટેલે સહાય અંગે કરી જાહેરાત
મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય અપાશે
જ્યારે ઇજાગ્રસ્તોને રૂ,50 હજારની સહાય અપાશે
વડોદરા શહેરના દરજીપુરા એરફોર્સ પાસે છકડા અને કન્ટેનર વચ્ચે ધડાકાભેર સર્જાયેલા અકસ્માતને લઇને માર્ગ રક્તરંજીત બન્યો છે. આ ગોઝારી ઘટનામાં બાળકો સહીત 10 લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા હાહાકાર મચી ગયો છે. આ ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરી CM ભુપેન્દ્ર પટેલે સહાય અંગે જાહેરાત કરી છે. જેમાં મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને રૂ,50 હજારની સહાય આપવા અંગે જણાવ્યું છે.
વડોદરા નજીક દરજીપુરા એરફોર્સ સ્ટેશન પાસે થયેલ કરુણ અકસ્માતની ઘટનાથી વ્યથિત છું. અકસ્માતમાં જાન ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ચાર લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦,૦૦૦ ની સહાય આપશે.
CM ભુપેન્દ્ર પટેલે સહાય અંગે કરી જાહેરાત
વડોદરામાં આજે અકસ્માતની હૈયુ હચમચાવતી ઘટના સામે આવી છે. શહેરના દરજીપુરા એરફોર્સ પાસે છકડો અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 10 લોકોના છકડામાં દબાઈ જવાથી મૃત્યુ નિપજ્યાં છે. આ મૃતદેહોને છકડાના પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યા છે. આ મૃતદેહોને ફાયર બ્રિગેડ અને એરફોર્સના જવાનો દ્વારા બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ હતી. એકી સાથે 10 લોકોના મોતથી માર્ગ મરણચીસોથી ગુંજ્યો હતો.
કલેક્ટર એ.બી. ગૌર સંયાજી હોસ્પિટલ ખાતે દોડી ગયા
આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસ અને ફાયરો સ્ટાફ તાબડતોબ કામગીરી હાથ ધરી અને 6 પુરુષ, 2 મહિલા અને 2 બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પ્રાથમિક તપાસમાં તમામ લોકો દેવગઢબારિયાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આથી નાના એવા ગામમાં માતમ છવાયો છે. વધુમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવતા કલેક્ટર એ.બી. ગૌર સંયાજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને સારવાર લઇ રહેલ દર્દીઓના ખબરતંર પુછ્યા હતા.