જનતા માટે સારા સમાચાર છે કે સરકાર કોઈ નવો ટેક્સ હાલમાં નહીં વસૂલે. જાણો કેમ લેવાયો આ નિર્ણય.
કોવિડ સેસ લગાવવાની માંગ ઉઠી હતી.
આ કારણે કોવિડ સેસ નહીં લગાવવાનો લેવાયો નિર્ણય
અધિકારીઓએ આપી હતી સેસ અથવા સરચાર્જની સલાહ
કોવિડ સેસ લગાવવાની માંગ ઉઠી હતી.
કોરોનાને પહોંચી વળવા માટે સરકારના ઘણા ખર્ચને અસર પહોંચી છે. ત્યારે એવું મનાઈ રહ્યું હતું કે સરકાર ખર્ચની ભરપાઈ કરવા માટે કોવિડ સેસ લગાવવાની સંભાવના પર વિચાર કરી રહી છે. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય માણસોને મોટી રાહત મળી છે. મીડિયા રિપોર્ટ અનુસાર સરકારે કહ્યું છે કે સામાન્ય માણસ પર કોઈ નવો કર નહીં લાદવામાં આવે. એટલે કે અમીરો પર જે કોવિડ સેસ લગાવવાની માંગ ઉઠી હતી. તે પણ નહીં લગાવવામાં આવે. એક ફેબ્રુઆરી 2021ને રજુ થયેલા બજેટમાં નાણામંત્રીએ કોઈ જાહેરાત કરી નથી.
આ કારણે કોવિડ સેસ નહીં લગાવવાનો લેવાયો નિર્ણય
હકિકતમાં સરકાર ઈચ્છતી હતી કે સંકટના આ સમયમાં લોકોને પૈસાની સમસ્યા ન થાય. કોવિડ સેસ લગાવ્યા બાદ લોકોના હાથમાં આવનારા પૈસા થોડાક ઓછા થઈ જશે. તેવામાં લોકો ખર્ચ ઓછા કરી દેશે. એટલા માટે સરકારે નવો કોઈ કર ન વસૂલવાનો નિર્ણય લીધો છે. હાલની સ્થિતિમાંથી બહાર આવવા આ જરુરી છે તે વધારે માંગ ઉભી થાય. જેથી લોકો ઝડપથી પૈસા ખર્ચ કરે અને અર્થવ્યવસ્થામાં કરન્સી સર્કુલેટ થાય.
અધિકારીઓએ આપી હતી સેસ અથવા સરચાર્જની સલાહ
લોકડાઉન દરમિયાન ટેક્સ અધિકારીઓએ સલાહ આપી હતી કે ટેક્સ ડેફિસિટની ભરપાઈ માટે સરકાર આવક પર સેસ અથવા સરચાર્જ લગાવી શકે છે. નોંધનીય છે કે સરકારે નુકસાનની ભરપાઈ માટે પેટ્રોલઅને ડિઝલની એક્સાઈઝ ડ્યુટી વધારી હતી. આની સાથે જ રાજ્યોએ પણ દારુ પર એક્સાઈઝ ડ્યૂટી વધારી દીધી હતી. આર્થિક ગતિવિધિઓને પાટા પર લાવવા માટે સરકારના એક વર્ગ અને ટેક્સ કન્સલ્ટેન્ટ રસીના નામ પર ટેક્સ લગાવવાના પક્ષમાં હતા. રિપોર્ટ્સ અનુસાર એક જાણીતી ફર્મના એક કન્સલ્ટન્ટે કહ્યું હતું કે આવક પર એકથી 2 ટકા સેસથી કોઈ અસર નહીં પડે. પહેલા પણ સરકાર હેલ્થ સેસ લગાવી ચૂકી છે.