Ayushman Bharat 2.0 : આયુષ્માન ભારત યોજનામાં અત્યાર સુધી માત્ર ગરીબી રેખાની નીચેનામં લોકોનાં જ સ્વાસ્થ્યને કવર કરવામાં આવતું હતું પરંતુ હવે મિડલ ક્લાસ લોકોને પણ લાભ મળી શકશે. જાણો શું કહે છે રિપોર્ટ.
આયુષ્માન ભારત યોજના 2.0 થશે તૈયાર
મિડલ ક્લાસ લોકોને મળી શકે છે લાભ
40 કરોડ લોકોને રાહત આપવાનો સરકારનો પ્લાન
રિપોર્ટ અનુસાર સરકાર હવે મિડલ ક્લાસ લોકોને આ યોજનાનો લાભ ફાળવવા માટે આયુષ્માન ભારત 2.0 વર્ઝન તૈયાર કરી રહી છે. આ યોજના અંતર્ગત ભારત સરકાર 40 કરોડ લોકોને રાહત આપવાનો પ્લાન તૈયાર કરી રહી છે. સૂત્રો અનુસાર આયુષ્માન ભારત યોજનાની તર્જ પર નવી યોજના લાગી કરવા માટે થવાનાં ખર્ચ અને પડકારોને ધ્યાનમાં રાખતાં વિવિધ વિકલ્પોની તપાસ કરવામાં આવી રહી છે. જો આ પગલું લેવાય છે તો આ ઈનકમ ટેક્સમાં રાહત આપ્યાં બાદ મિડલ ક્લાસ માટે સરકાર તરફથી વધુ એક મોટી ભેટ રહેશે.
હેલ્થ ઈંશ્યોરેંસ કંપનીઓ સાથે થઈ રહી છે વાત: રિપોર્ટ
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે સરકારનાં આ નવાં આયુષ્માન ભારત 2.0 વર્ઝનમાં પહેલાંની જેમ જ પાંચ લાખ રૂપિયાનું કવરેજ આપવાની વાત ચાલી રહી છે. આ સિવાય તેને ઈન્ડિવિઝ્યુઅલ ટોપ અપનાાં આધાર પર પણ લઈ આવવાની વાત ચાલી રહી છે. તો બીજો વિકલ્પ છે કે તેને હેલ્થ ઈંશ્યોરેન્સ કંપનીની યોજનાઓમાં શામેલ કરી શકાય છે જેમાં ઓછી કિંમત પર બેઝિક મેડિકલ કવરેજ આપવાનું કહેવામાં આવશે.
India is readying a Ayushman Bharat version 2.0, which will cater to 400-million middle income citizens, officials familiar with the development said.https://t.co/ODcxNtxpL5
હાલમાં ગરીબીરેખાની નીચેના લોકોને મળે છે સુવિધા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબોની હેલ્થ સ્કીમને લાગૂ કરવા માટે આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનની અંતર્ગત દેશનાં 10 કરોડ પરિવારોને લાભ પહોંચાડવાનો લક્ષ્ય હતો. આ યોજના અંતર્ગત સરકાર દેશનાં 50 કરોડ લોકોને મફતમાં ઈલાજ કરાવે છે એટલે કે 50 કરોડ લોકોને વાર્ષિક 5 લાખ રૂપિયાનું કવરેજ આપવામાં આવે છે.