કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ વાહોનાના સેફ્ટી ફિચર્સ પર ભાર આપતા કાર નિર્માતા કંપનીઓને સસ્તી કારોમાં પણ એરબેગ રાખવા માટે અપીલ કરી છે. જેથી અકસ્માતમાં થતા મોત રોકી શકાય.
અકસ્માતો રોકવા માટે વાહનોના સેફ્ટી ફિચર્સ વધારશે સરકાર
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કાર બનાવતી કંપનીઓને કરી અપીલ
સસ્તી કારોમાં પણ એરબેગ આપવા માટે કરી અપીલ
મોદી સરકાર દ્વારા વાહનોમાં સેફ્ટી ફિચર્સને લઈને ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કારણકે રસ્તાઓ પર થતા અકસ્માતો રોકવા માટે સેફ્ટી ફિચર્સ મહત્વની ભૂમિકા ભજવે છે. જે મામલે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે નાની કારોમાં પણ સારા સેફ્ટી ફિચર્સ હોવા જરૂરી છે. જેથી હવે નાની કારોમાં પણ બધી સુવિધા મળી રહેશે.
નાની કારોમાં એરબેગ હોવી જોઈએ : નિતિન ગડકરી
મીડિયા સમક્ષ નિતિન ગડકરીએ કહ્યું કે નાની કારો મોટા ભાગે મધ્યમ વર્ગના લોકો ખરીદતા હોય છે. જેથી તે ગાડીઓમાં પણ પર્યાપ્ત માત્રામાં એરબેગ હોવી જોઈએ. સાથેજ તેમણે એવું કહ્યું કે હુ એ વાતને લઈને હેરાન છું કે કાર બનાવતી કંપનીઓ માત્ર અમીરો માટે બનતી મોંઘી કારમાંજ કેમ 8 એરબેગ આપે છે.
અકસ્માત પર કાબૂ મેળવવા એરબેહની અપીલ કરી
સમગ્ર મામલે નિતિન ગડકરીએ એવું કહ્યું કે નાની અને સસ્તી કારોમાં પણ એરબેગ આપવા જરૂરી છે. જેથી કરીને અકસ્માતમાં થતી મોત પર પણ કાબૂ મેળવી શકાશે. કારણકે હાલ રોડ અકસ્માતમાં લોકોના મોત વધી રહ્યા છે. જે સરકાર માટે પણ એક ચિંતાનો વિષય બન્યો છે.
મધ્યમ વર્ગના લોકો નાની કાર ખરીદે છે
આપને જણાવી દઈએ કે ગડકરીએ આ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે વાહન કંપનીઓ દ્વારા વાહનોના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીનું કહેવું છે કે મોટા ભાગે નિમ્ન અને મધ્યમ વર્ગના લોકો નાની કાર ખરીદવાનું પસંદ કરે છે. પણ એ કારમાં એરબેગ નથી હોતી જેના કારણે અકસ્માતમાં મોતની સંભવના ઘણી વધી જાય છે.
ઓછામાં ઓછા 6 એરબેગ રાખવાની અપીલ
સમગ્ર મામલે તેમણે કાર બનાવતી કંપનીઓને અપીલ કરી છે કે દરેક કારમાં ઓછામાં ઓછા 6 એરબેગ રાખવા જોઈએ. સાથેજ તેમણે કહ્યું એક્સ્ટ્રા એરબેગ આપવાથી કારની કિંમતમાં 3 થી 4 હજારનો વધારો થાય છે. જેથી આપણા દેશમાં દરેકને સુરક્ષા મળવી જોઈએ.