બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / બિઝનેસ / government will cut subsidy by 25 percent in 2023

કૃષિ / ખેડૂતો માટે મોટી ખબર, આ વર્ષે 2.5 લાખ કરોડ રહેશે ખાતર સબસિડી

Vaidehi

Last Updated: 07:31 PM, 6 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફર્ટિલાઇઝર્સ સંગઠનનું અનુમાન છે કે હાલનાં નાણાકીય વર્ષમાં ફર્ટિલાઇઝરર્સની સબસિડી વધીને 2.5 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે, તો આવતાં નાણાકીય વર્ષમાં આશરે 25% ઘટાડો થવાની સંભાવનાઓ દેખાઇ રહી છે. જાણો કારણ.

  • ફર્ટિલાઇઝર સબસિડીમાં થઇ શકે છે નોંધનીય ઘટાડો 
  • FAI એ લગાવ્યા અનુમાન
  • સબસિડીમાં આશરે 25% ઘટાડો થવાની સંભાવનાઓ 

ફર્ટિલાઇઝર્સ સંગઠનનું અનુમાન છે કે આવતાં નાણાકીય વર્ષમાં આશરે 25% ઘટાડો થવાની સંભાવનાઓ દેખાઇ રહી છે. તેનું સૌથી મોટું કારણ હોઇ શકે છે ગ્લોબલ માર્કેટમાં ખાતરો અને કાચાં માલની કિંમતોમાં દેખાઇ રહેલી મંદી. મોદી સરકાર હાલનાં નાણાકીય વર્ષમાં ખેડૂતોને મળતી ખાતર માટેની સબસિડીનો દર 2.3થી વધારીને 2.5 લાખ કરોડ રૂપિયા કરી શકે છે પરંતુ આવનારાં નાણાકીય વર્ષમાં નોંધનીય ઘટાડો પણ શક્ય છે. 

ઉદ્યોગોને ઘણું ઓછું માર્જિન
ફર્ટિલાઇઝર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા FAI એ જણાવ્યું કે 2023-24માં ગ્લોબલ માર્કેટ એટલે કે વૈશ્વિક બજારમાં ખાતરોની કિંમતમાં નરમી આવવાને લીધે સરકાર સબસિડી પણ ઓછી થઇ શકે છે. FAI એ કહ્યું કે સરકારની સબસિડી હોવા છતાં ઉદ્યોગોને ઘણું ઓછું માર્જિન મળી રહ્યું છે. અને ગ્લોબલ માર્કેટમાં કિંમતો વધવાને કારણે ઘરેલૂ બજારમાં ખાતરોનાં ભાવ પર દબાણ વધી રહ્યું છે. આ જ કારણ છે કે આ સેક્ટરમાં રોકાણ પણ ઝડપથી ઘટી રહ્યું છે. જો કે હાલની સીઝન માટે દેશમાં પર્યાપ્ત માત્રામાં ખાતરો અને યૂરિયા, ડીએપી જેવા ફર્ટિલાઇઝર્સ ઉપલ્બ્ધ છે,

કે.એસ. રાજૂએ આપી માહિતી
FAIનાં અધ્યક્ષ કે.એસ.રાજૂએ જણાવ્યું કે હાલનાં નાણાકીય વર્ષમાં ખાતરની સબસિડી 2.5 લાખ કરોડ રૂપિયા સુધી પણ જઇ શકે છે જે ખેડૂતો માટે ઘણી સારી ખબર છે. પરંતુ આવનારા નાણાકીય વર્ષ એટલે કે 2023માં સંભવત: આ સબસિડીમાં 25% જેટલો નોંધનીય ઘટાડો થઇ શકે છે. સબસિડીમાં વધારો કરવાથી ખેડૂતોને વધી રહેલા ભાવોમાં રાહત મળશે અને તેમના પર ગ્લોબલ માર્કેટમાં ફર્ટિલાઇઝર અને કાંચા માલનાં વધી રહેલા ભાવોનું દબાણ ઘટશે. ગયાં વર્ષે ફર્ટિલાઇઝરર્સ સબસિડી આશરે 162 લાખ કરોડ રૂપિયા હતી.

આવતાં વર્ષે સબસિડીમાં 25%  જેટલો ઘટાડો
એફ.એ.આઇનાં બોર્ડ સદસ્ય પી.એસ.ગહેલોતે કહ્યું કે આવતાં વર્ષે ફર્ટિલાઇઝરર્સ સબસિડીમાં 25% જેટલો ઘટાડો આવી શકે છે. આ ઘટાડા બાદ હાલની સબસિડીથી આશરે 65 હજાર કરોડ રૂપિયા હશે. આ આંકડાઓ બજારમાં થઇ રહેલા ટ્રેડ પર આધાર રાખે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ