પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખેડૂતોના નુકસાનની ભરપાઈ કેન્દ્ર સરકાર કરશે. મંત્રીમંડળે ખેડૂતોના પાકનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) સુનિશ્ચિત કકરવા માટે નવી ખરીદ નીતિને મંજૂરી આપી દીધી છે. દેશના ખેડૂતો માટે સરકારનો આ નિર્ણય લોકસભા ચૂંટણી પહેલાં આવ્યો છે. જેના હેઠળ જો બજારમાં સરકાર દ્વારા નિર્ધારિત ભાવથી પણ વધારે ઘટાડો આવે છે તો પણ ખેડૂતોને ન્યૂનતમ સમર્થન મૂલ્ય આપાવમાં આવશે.
આ ખરીદ નીતિની જાહેરાત PM મોદી જુલાઈમાં કરી ચૂક્યાં છે. આ પહેલાં જ સરકારે 22 પાકો પર એમએસપી વધારી દીધી છે. આ નવી નીતિ ખેતી કરનારા ખેડૂતોને દેવા મુક્તિમાં પણ મદદ કરશે. આ નીતિ હેઠળ પાક સરકાર દ્વારા ખરીદાશે અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય ખેડૂતોના અકાઉન્ટમાં સીધું જ ટ્રાન્સફર થઈ જશે.
આ નિર્ણયને કારણે સરકાર 40 000 કરોડ રૂપિયાનો બોજ વધશે અને ખરીફ પાકોની સીઝનમાં આ નીતિ લાગૂ થશે. આ ઉપરાંત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. મંત્રાલયે ઇથેનૉલના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. તેલ માર્કેટિંગ કંપનીઓ હવે શુગર મિલથી ઇથેનોલ 52 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી ખરીદી શકશે જે પહેલાં 47.5 રૂપિયા પ્રતિ લિટર હતો.