કેન્દ્ર સરકારે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને લોકોને છિદ્રયુક્ત શ્વાસયંત્ર (વૉલ્ડ રેસ્પિરેટર) લાગેલા N-95 માસ્ક પહેરવાને લઇને ચેતાવણી જાહેર કરી છે. પત્રમાં લખ્યું છે કે આનાથી કોરોના વાયરસનો પ્રસાર રોકાતો નથી. આ કોવિડ-19 મહામારી સામે લેવામાં આવેલા પગલા કરતા વિપરીત છે.
કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જાહેર કરી ચેતવણી
છિદ્ર વાળા N-95 માસ્કનો ઉપયોગ ન કરવા ચેતવણી
N-95 માસ્કના ઉપયોગ પર રોક લગાવવા અપીલ
સમાચાર એજન્સી પીટીઆઇ મુજબ, આરોગ્ય વિભાગમાં આરોગ્ય સેવા મહાનિદેશક રાજીવ ગર્ગે રાજ્યોના આરોગ્ય તેમજ ચિકિત્સા શિક્ષા વિભાગના પ્રધાન સચિવોને પત્ર લખ્યો છે. આ પત્રમાં મહાનિદેશક રાજીવ ગર્ગે કહ્યું છે કે એક સત્ય સામે આવ્યું છે કે આરોગ્યકર્મીઓના બદલે લોકો N-95 માસ્કનો ખોટો ઉપયોગ કરી રહ્યાં છે. વિશેષ રીતે એવા N-95 માસ્કનો ઉપયોગ કરી રહ્યાં છે જેમાં છિદ્રયુક્ત શ્વસનયંત્ર (વૉલ્ડ રેસ્પિરેટર) લાગેલું છે.
આરોગ્ય સેવા મહાનિદેશ રાજીવ ગર્ગે કહ્યું, છિદ્રવાળા શ્વસનયંત્ર લાગેલ N-95 માસ્ક કોરોના વાયરસ ફેલાવાને રોકવા માટે ઉઠાવેલા પગલાથી વિપરીત છે, કારણ કે આ વાયરસને માસ્કથી બહાર આવવાને લઇને રોકી શકતું નથી. જેને ધ્યાનમાં લેતા હું આપને અપીલ કરુ છે કે બધા સંબંધિત લોકોને નિર્દેશ આપો કે તેઓ ફેસ-માઉથ કવરનો ઉપયોગ કરે અને N-95 માસ્કનો ખોટો ઉપયોગ રોકે.
ઉલ્લેખનીય છે કે સરકારે આ અંગે એક એડવાઇઝરી બહાર પાડી હતી જેમાં ફેસ-માઉથ કવર માટે ઘરમાં બનેલા પ્રોટેક્ટિવ કવરનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવીહતી. સરકારે કહ્યું હતું કે જે લોકો ઘરની બહાર નીકળે તો આવા કવરનો ઉપયોગ કરે. એડવાઇઝરીમાં જણાવામાં આવ્યું હતું કે આવું કવર દરરોજ ધોઇ નાંખી સાફ કરવું જોઇએ. સુતરાઉ કપડાથી બનેલા ફેસ કવરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી.