કોરોના મહામારીની અસર દુનિયાભરમાં થઈ રહી છે ત્યારે લોકડાઉન અને અન્ય પ્રતિબંધોને કારણે ભારત જેવા દેશની અર્થવ્યવસ્થા સામે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે. કોરોનામાં સૌથી મોટો પ્રશ્નાર્થ રોજગાર સાથે જોડાયો છે અને આ જ કારણ છે કે કોરોના બાદની સ્થિતિ માટે યોજાયેલી બેઠકમાં સરકારી અધિકારીએ રજૂ કરેલા પ્રેઝન્ટેશનમાં કહેવાયું છે કે દેશમાં 10 કરોડ નોકરીઓ પર સંકટ છે.
દેશમાં 10 કરોડ નોકરીઓ પર સંકટ
બેઠકમાં સરકારી અધિકારીએ રજૂ કર્યુ પ્રેઝન્ટેશન: સૂત્ર
વિદેશી રોકાણ-વેપાર પર પણ કોરોનાની અસર: સૂત્ર
કોરોના બાદની સ્થિતિ પર ચર્ચા માટે મળી હતી બેઠક
10 કરોડ નોકરીઓ પર છે ખતરોઃ સૂત્ર
સોમવારે વાણિજ્ય મંત્રાલય સાથે જોડાયેલી સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં સામેલ થયેલા પ્રતિનિધિએ કોરોના કાળમાં દેશમાં રોજગાર પર એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું. સરકારી અધિકારીએ ચિંતાજનક આંકડો આપ્યો છે. સૂત્રોના આધારે તેઓએ પ્રેઝન્ટેશનમાં જણાવ્યું છે કે કોરોના અને લોકડાઉનના કારણે ભારતમાં લગભગ 10 કરોડ નોકરીઓ પર સંકટ સર્જાયું છે. તેઓએ નક્કી કર્યું નથી કે આ આંકડો ક્યાં સુધીનો છે અને તેમાં કયા કયા સેક્ટર સૌથી વધારે પ્રભાવિત થયા છે.
ભારત સામે વ્યાપારના પડકારોને લઈને ચર્ચા માટે યોજાઈ હતી બેઠક
સમિતિની બેઠકનો આધાર કોરોના બાદના સમયમાં રોકાણને લઈને ભારતની સામેની પડકારો અને અવસરો પર ચર્ચા કરવાનો હતો. બેઠકમાં ઔદ્યોગિક અને આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગના અધિકારીએ સમિતિના સભ્યોને અર્થવ્યવસ્થા પર પડી રહેલી કોરોનાની અસરને વિશે જણાવ્યું. ભારત કૌશલ અને દક્ષ શ્રમ શક્તિનો એક મોટો નિર્યાતક દેશ છે અને દુનિયાભરમાં આર્થિક શિથિલતાની અસર પણ અહીં પડવાનું નક્કી છે. દેશના લોકો બહાર જઈને કામ કરે છે અને કોરોનામાં તેની કડી તૂટી છે. તેનું પરિણામ એ હશે કે ભારત જે રૂપિયા મોકલી રહ્યું છે તેમાં ઘટાડો આવશે.
બેઠકમાં સરકારની તરફથી કહેવાયું છે કે ભારતની અર્થવ્યવસ્થા ખાસ કરીને અમેરિકા, યુરોપ અને ચીનથી થનારા રોકાણ અને વ્યાપાર પર નિર્ભર કરે છે. કોરોનાના કારણે આ દેશોથી વ્યાપાર અને રોકાણમાં અલગ અલગ કારણોથી ઘટાડાની આશંકા છે. સરકારે જણાવ્યું કે સરકારની કોશિશ હવે મેડિકલ ઉપકરણો સહિત અન્ય મહત્વના સામાનોના આયાતની નિર્ભરતા ઘટાડવાની છે.
વી વિજયસાંઈ રેડ્ડીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
સરકારી અધિકારીએ વિશેષ રીતે કહ્યું કે ચીને પોતાને ત્યાં સામાનનો સ્ટોક જમા કર્યો છે. તેની કોશિશ આ સામાનની નિકાસ કરવાની છે. આ માટે ચીન પોતાના નિર્યાતકોને સબસિડી આપવાનો નિર્ણય પણ કરી શકે છે અને ભારત તેને લઈને સતર્ક છે. સમિતિના અધ્યક્ષ અને વાઈએસઆસ કોંગ્રેસના સાંસદ વી વિજયસાંઈ રેડ્ડીએ બેઠકની અધ્યક્ષતા કરી હતી.