શૂન્ય બજેટ આધારિત ખેતી અંગે સરકારે મંગળવારે લોકસભામાં કહ્યું કે હરિયાણા, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં આ દિશામાં કામ ચાલી રહ્યું છે. સરકારે એકવાર ફરી 2022માં ખેડૂતોની આવક બેગણી થવાને લઇને પોતાના પ્લાનની જાણકારી આપી.
મંગળવારે લોકસભામાં તમિલનાડુના સાંસદ ડૉ. તામિજ્ઞાચીએ સરકારને પૂછ્યું કે શું સરકાર વર્ષ 2022 સુધી ખેડુતોની આવક બે ગણી કરવાના શૂન્ય બજેટ પ્રાકૃત્તિક ખેતીને વધારવાની યોજનાઓ બનાવી રહી છે. અંતે સરકાર કેવા પ્રકારે ખેડૂતોની આવક બેગણી કરશે. પરંપરાગત ખેતિ વિકાસ અને રાષ્ટ્રીય કૃષિ વિકાસની વિગત શું છે.
તેના પર કૃષિ અને ખેડુત કલ્યાણમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જવાબ આપ્યો. એમણે બતાવ્યું કે, શૂન્ય બજેટ પ્રાકૃત્તિક ખેતી (ZBNF) સહિત જૈવિક ખેતીથી ઓછા ખર્ચમાં ખેતીને પ્રોત્સાહન મળે છે. તેથી ખેડુતોને બચત થાય છે. દેશમાં જૈવિક ખેતીની સંભાવનાઓને ઓળખીને સરકાર પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVI)ને સમર્પિત યોજના દ્વારા ખેડુતોના કલ્યાણ માટે જૈવિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે.
સરકારે બતાવ્યું કે આંધ્રપ્રદેશમાં શૂન્ય બજેટ પ્રાકૃતિક ખેતી પર કામ ચાલી રહ્યું છે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના ગુરુકુળમાં 80 એકડ જમીન પર શૂન્ય બજેટમાં ખેતી થઇ રહી છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં પ્રાકૃત્તિક ખેતી, કિસાન યોજના હેઠળ આ દિશામાં કામ કરી રહી છે.