કોરોના વાયરસ કહેરને પગલે દેશભરમાં 21 દિવસના લોકડાઉનને કારણે તમામ લોકો તેમના ઘરોમાં બંધ છે. આ સાથે તમામ પ્રકારની દુકાનો, મોલ અને થિયેટરો પણ બંધ છે. ફક્ત જરૂરી ચીજોની દુકાનો જ ખુલી છે. આવી સ્થિતિમાં દારૂના કોન્ટ્રાક્ટ પણ બંધ છે. દરમિયાન કેરળમાં દારૂ ન હોવાને કારણે બે લોકોએ આત્મહત્યા કરી છે.
કોરોના વાયરસે મચાવ્યો કહેર
કેરળમાં દારૂ નહીં મળતા 2 લોકોએ કરી આત્મહત્યા
સરકાર બનાવી રહી છે યોજના
પીટીઆઈના જણાવ્યા અનુસાર કેરળમાં દારૂ મળી ન શકવાના કારણે 2 લોકોએ આત્મહત્યા કરી છે. એટલું જ નહીં, દારૂ પીવાના વ્યસનને કારણે ઘણા લોકોને ડી-એડિક્શન સેન્ટરમાં પણ દાખલ કરવામાં આવ્યા છે.
સરકાર બનાવી રહી છે યોજના
ઇકોનોમિક્સ ટાઇમ્સના સમાચારો અનુસાર, દારૂ ન મળવાને કારણે વારંવાર થતા મૃત્યુને ધ્યાનમાં રાખીને કેરળ સરકારે આ સમસ્યાનું સમાધાન શોધવાનું નક્કી કર્યું છે. આવી સ્થિતિમાં, કેરળ સરકાર દારૂ પર વધુ નિર્ભર એવા લોકોને ઓછામાં ઓછી માત્રામાં દારૂ આપવાની યોજના બનાવી રહી છે.
દારૂની વ્યવસ્થા યોજના માટે મંગાવાયા સૂચન
મીડિયા સાથે વાત કરતા કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજયને કહ્યું, "લોકડાઉન સમયગાળા દરમિયાન જે લોકો દારૂ પર વધુ આધાર રાખે છે તેમને દારૂ પહોંચાડવાની રીતો સૂચવવા રાજ્ય સરકારે આબકારી વિભાગને નિર્દેશ આપ્યો છે." નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્ટ્ર અને કેરળમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે.