પોતાના નિવેદનોથી વિવાદમાં રહેતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નાગપુરમાં એક સભામાં જણાવ્યું હતું કે, તેઓ ગાય પેદા કરવાની ફેક્ટરી લગાવી દેશે. તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં એક ટેક્નોલોજીના ઉપયોગથી માત્ર વાછરડીઓ જ પેદા થશે.
જેના કારણે મોબ લિંચિગ જેવી ઘટનાઓ પણ રોકાશે અને ખેડૂતોને પણ લાભ થશે. નાગપુરમાં મધર ડેરીના કાર્યક્રમનું સંબોધન કરતી વખતે તેમણે આ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, વિદર્ભમાં ગાયો નાની હોય છે અને માત્ર એક-બે લીટર દૂધ આપે છે. ત્યારે નવી ટેક્નોલોજીથી બ્રિડીંગ કરીને માત્ર વાછરડીઓ જ જન્મે તેવી વ્યસ્વસ્થા કરવાથી દૂધ પણ વધશે.
#WATCH:Union Min Giriraj Singh says "In coming days, through insemination,calves that'll be born, will only be females...Hum gai paida karne ki factory laga denge.We'll use IVF technology from cows giving 20 litres milk,on cows which stop giving milk.We'll bring revolution"(31.8) pic.twitter.com/sOJrztNwEi
ગિરિરાજસિંહે કહ્યું, 'આ વર્ષે અમારું લક્ષ્ય 30 લાખ ગાયો પેદા કરવાનું છે. 2025 સુધીમાં 100 મિલિયન વાછરડા હશે. તેમણે વધુમાં કહ્યું કે, 'અમે ગાય ઉત્પાદન ફેક્ટરીની સ્થાપના કરીશું. સરોગેટ્સ માતાના એમ્બિઓ ટ્રાન્સપ્લાન્ટમાં વધુ સુધારો કરીને જે ગાય દૂધ ન આપતી હોય તેની અંદર 20 લિટર દૂધ આપી શકવાની ક્ષમતા ઉત્પન્ન કરીશુ. ગિરિરાજસિંહે દાવો કર્યો છે કે આનાથી વિશ્વભરમાં ભારતમાં સૌથી સસ્તુ દૂધ ઉપલબ્ધ થશે.
કલમ 370 હટાવાયા બાદ પણ આપ્યું હતું નિવેદન
અગાઉ કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા પછી ગિરિરાજનું નિવેદનનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'જય કાશ્મીર, જય ભારત, આ વખતે.' આ ટ્વીટ અંગે એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર વિશે વાત કરી રહ્યો છે.