ગરીબ દર્દીઓને મોંઘા ટેસ્ટમાંથી છૂટકારો અપાવવા માટે કેન્દ્ર સરકાર મેડિકલ ટેસ્ટનું બજેટ વધારવાની યોજના બનાવી રહી છે.
આયુષ્યમાન ભારત યોજનાનું બજેટ વધારવાની સરકારની વિચારણા
એમઆરઆઈ અને પીઈટી સ્કેન જેવા મોંઘા ટેસ્ટ ફ્રી કરવાની પણ સરકારની યોજના
ગરીબ દર્દીઓને મળશે મોટી રાહત
કેન્દ્ર સરકાર આયુષ્યમાન ભારત યોજના હેઠળ મેડિકલ ટેસ્ટનું બજેટ વધારવાની યોજના બનાવી રહી છે. આ યોજનાના લાભાર્થીઓ હવે એમઆરઆઈ અને પીઈટી સ્કેન જેવા મોંઘા ટેસ્ટ મફતમાં કરી શકશે. અત્યાર સુધી આ યોજના હેઠળ રેડિયોલોજી ટેસ્ટની મર્યાદા વાર્ષિક 5000 રૂપિયા હતી. પરિવારના સભ્યો વર્ષમાં માત્ર એક જ વાર ટેસ્ટ કરાવી શકતા હતા. દર્દીઓને ઘણીવાર ખર્ચાળ ટેસ્ટ માટે વધારે પૈસા ખર્ચ કરવા પડતા હતા. બજેટમાં નવા ફેરફારથી આયુષ્માન ભારત યોજના હેઠળ નોંધાયેલા દર્દીઓને રાહત મળશે.
#UnderstandingABDM
The Ayushman Bharat Digital Mission (ABDM) is a flagship scheme of the Government of India.
➡️ABDM aims to develop the backbone necessary to support the integrated digital health infrastructure of the country.
More: https://t.co/Q3nnolDu0Ypic.twitter.com/7vOkkkl7Sk
— National Health Authority (NHA) (@AyushmanNHA) April 25, 2022
નેશનલ હેલ્થ ઓથોરિટીએ રાજ્યોને આપ્યો આદેશ
નેશનલ હેલ્થ ઓથોરિટીએ રાજ્યોને મેડિકલ તપાસ કરાવવા માટે કહ્યું છે. બજેટ વધારવાની શરત એ છે કે 40 ટકા ફી રાજ્ય સરકારે ભોગવવી પડશે. ખાનગી કેન્દ્રો પર એમઆરઆઈ ટેસ્ટની કિંમત આશરે 5,000-7,000 રૂપિયા છે અને પીઈટી સ્કેન લગભગ 11,000 રૂપિયાથી 15,000 રૂપિયામાં કરવામાં આવે છે.
આ કારણે કેન્દ્ર સરકાર આયુષ્યમાન યોજનામાં ફેરફાર કરી રહી છે
આયુષ્માન યોજનામાં ફેરફારનું કારણ એ છે કે, કેન્સર, ન્યુરો અને હાર્ટ જેવી ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને આ ટેસ્ટ માટે 5000 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી હોવાના કારણે દર્દીઓને તકલીફ પડી રહી હતી. આ સિવાય બહારનો એમઆરઆઈ ટેસ્ટ 3500થી 7 હજાર રૂપિયામાં અને પેટ સ્કેન 11થી 15 હજાર રૂપિયામાં થાય છે. સાથે જ સીટી સ્કેન એકથી દોઢ હજાર રૂપિયામાં થાય છે. આ રકમ ગરીબ લોકોના ખિસ્સા પર ભારે પડી રહી હતી, તેથી સરકારે આ યોજનામાં ફેરફાર કરવાનું મન બનાવી લીધું છે.આ યોજનાનું બજેટ વધવાને કારણે મોઁઘા ટેસ્ટ સાવ મફત થઈ જશે.
ક્યારથી શરૂઆત થઈ?
દેશના આર્થિક રીતે નબળા નાગરિકોને સરકાર દ્વારા વિવિધ પ્રકારની આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેથી દેશનો કોઈ પણ નાગરિક આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સારવારથી વંચિત ન રહી જાય. પંડિત દીનદયાળઉપાધ્યાય ના જન્મદિવસ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી.
આરોગ્ય ક્ષેત્ર પર સરકારનું ખાસ ધ્યાન
ફેબ્રુઆરીમાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આયુષ્માન ભારત ડિજિટલ મિશન એટલે કે એબીડીએમને મંજૂરી આપવામાં આવી હતી. આ મિશન માટે 5 વર્ષ માટે 1600 કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઈ કરવામાં આવી હતી.આરોગ્ય સેક્ટર પર સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે.