બજેટ 2019ના પ્રસ્તાવો અનુસાર લોકો હવે 18 જરૂરી સેવાઓ માટે પાન કાર્ડની જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકે છે. પરંતુ લેણદેણ સમય જો તમે ખોટો આધાર નંબર આપ્યો તો તમને 10 હજાર રૂપિયાનો દંડ આપવો પડી શકે છે.
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંબંધિત જોગવાઇ અને અધિસૂચના જારી થયા બાદ આ નિયમ એક સપ્ટેમ્બરથી લાગૂ થઇ શકે છે. જો કે આ આદેશ પહેલા સંબંધિત વ્યક્તિના વાત સાંભળવામાં આવશે. આ સંદર્ભમાં એક અધિકારીએ કહ્યું કે, 'આયકર અધિનિયમની ધારા 272બીમાં પાનના ઉપયોગથી સંબંધિત ઉલ્લંઘનો પર દંડની જોગવાઇ છે.'
આ પહેલા સીબીડીટીના અધ્યક્ષ પ્રમોદ ચંદ્ર મોદીએ કહ્યું હતું કે પાનની ઉપયોગિતા નિશ્વિત રીતે ખતમ થઇ નથી અને તાજેતરના બજેટમાં બંને ડેટાબેસને એકબીજાની જગ્યાએ ઉપયોગ કરવા માટે એક જેવું દેખાડવું એક વધારે સુવિધા છે જે એમને જોડવાને લઇને સુનિશ્ચિત કરશે, જો કે હવે કાયદા હેઠળ અનિવાર્ય છે. એમને કહ્યું હતું કે આવા મામલામાં જ્યાં આધારનો સંદર્ભ આપવામાં આવી રહ્યો છે અને ત્યાં પાનનો ઉલ્લેખ નથી, ત્યાં અમે વ્યક્તિને પાનની ફાળવણી કરવાની શક્યતા માટે વિચારી શકીએ છીએ.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટના ભાષણમાં કહ્યું હતું કે ભારતમાં 1.2 અરબથી વધારે લોકોની પાસે આધારકાર્ડ છે, જ્યારે એની સરખામણમાં પાન કાર્ડ માત્ર 22 કરોડ લોકો પાસે જ છે. એટલા માટે કરદાતા પાન નંબર ના હોવા પર આધારકાર્ડ નંબરથી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી શકે છે.