હવે બેંકોના ઓછા ભણેલા અને ઓછી જાણકારી વાળા ગ્રાહકોને ફ્રોડ વિરુદ્ધ વધારે સુરક્ષા મળશે. જલ્દીથી સરકાર ફ્રોડથી નિપટવા માટે હાલના કાનૂન પેમેન્ટ અને સેટ્લમેન્ટ એક્ટ 2007માં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે. જેમાં બેંકિંગ ગોટાળો રોકવા અને વળતરની વ્યવસ્થઆ થશે. એમાં ગ્રાહકની સમજ અનુભવ કુશળતાને આધાર બનાવવામાં આવશે. એના માટે પેમેન્ટ રેગુલેટરી બોર્ડ નવા દિશા નિર્દેશ બનાવશે અને ગ્રાહકોને જોખમના સ્તર અને સ્વરૂપ પર સુરક્ષા મળશે.
ગત વર્ષે RBIના નિયમોને અધિસૂચિત કર્યા હતા. એમાં આ પ્રકારના મામલામાં કેટલી હદ સુધી કોણી જવાબદારી હશે એ નક્કી કરવામાં આવ્યું હતું સરકાર ડિજીટલ લેણદેણને પ્રોત્સાહન આપવા ઇચ્છે છે. પરંતુ છેતરપિંડીની વધતી ઘટનાઓ એમાં અડચણ બની રહી છે.
બેંક તરફથી ખામી થવા પર ગ્રાહકને કોઇ નુકસાન થયાની ચિંતા કરવાની જરૂર નથી. આવા મામલે જ્યાં ભૂલ ગ્રાહક કે બેંકની નથ પરંતુ સિસ્ટમમાં ક્યાંય છે. ત્યારે ગેરકાનૂની ટ્રાન્ઝેક્શનની સૂચના મળવાના 3 દિવસોની અંદર ફરીયાદ દાખલ કરાવવા પર નુકસાનનો ભાર ગ્રાહક પર આવશે નહીં.