યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા કલાકો પહેલા કહ્યું હતું કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને ચીનમાં જે ચાલી રહ્યું છે તેનાથી તેઓ સારા મૂડમાં નથી. યુએસ રાષ્ટ્રપતિના આ દાવા અંગે સરકારી સૂત્રો કહે છે કે તાજેતરમાં બંને નેતાઓ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.
ટ્ર્રમ્પે કહ્યું મોદી સાથે મારે વાત થઈ તે સારા મૂડમાં નથી
ભારતના સરકારી સૂત્રોએ કહ્યું તેમની મોદી સાથે વાત જ નથી થઈ
ટ્રમ્પ વારંવાર ચીન ભારતના માર્ગ વિવાદમાં મધ્યસ્થી કરવા તત્પર છે
સૂત્રના જણાવ્યાનુંસાર પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં કોઈ વાતચીત થઈ નથી. બંને નેતાઓ વચ્ચે છેલ્લી ચર્ચા હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનને લઈને 4 એપ્રિલ 2020 ના રોજ હતી.
તેમણે કહ્યું, "ગઈકાલે (ગુરુવારે) વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યુ હતું કે આપણે સ્થાપિત તંત્ર અને કુટનીતિક સંપર્કો દ્વારા સીધા ચીનના સંપર્કમાં છીએ."
ઉલ્લેખનીય છે કે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અગાઉ 27 મી મેના રોજ મધ્યસ્થી પર ટ્વિટ કર્યુ હતું, 'અમે ભારત અને ચીન બંનેને જાણ કરી દીધી છે કે યુ. એસ હાલમાં વકરેલા સીમા વિવાદ પર મધ્યસ્થી માટે તૈયાર છે અને સક્ષમ છે કે. આભાર.'
ઉલ્લેખનીય કે રવિવારે ભારત તરફથી કહેવામાં આવ્યું હતું કે તે ચીન સાથેના આ વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માંગે છે. વાતચીત દ્વારા ચીન તરફથી સમાધાનની પણ વાત કરવામાં આવી રહી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને બુધવારે બેઇજિંગમાં કહ્યું હતું કે ચીન અને ભારત પાસે વાટાઘાટોના તમામ વિકલ્પો છે અને આ દ્વારા આ મુદ્દો ઉકેલી શકાય છે.
નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સતત કોરોનાવાયરસ માટે ચીન પર હુમલો કરી રહ્યા છે. ગુરુવારે એક ટ્વિટમાં તેમણે વાયરસને 'ચીન તરફથી દુનિયાને ખૂબ જ ખરાબ ભેટ' ગણાવી છે. તે ચાઇના પર વિશ્વભરમાં કોરોના ચેપ ફેલાવવા અને સામૂહિક હત્યા ચલાવવાનો આરોપ લગાવી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ એક બીજા ટ્વીટમાં લખ્યું છે કે, "ચીનમાં કેટલાક માથાના ફરેલા અન્ય લોકો પર કોરોનાનું દોષારોપણ કરી રહ્યા છે. જ્યારે ચીનની નિષ્ફળતાએ વિશ્વભરમાં હત્યાને આખરી ઓપ આપ્યો છે." આ ચીનની અસમર્થતા સિવાય કશું નથી.