ભારતમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનની સાથે વિદેશી લોકોના ટ્વિટનો મુદ્દે ખૂબ ચર્ચામાં છે ત્યારે આ મુદ્દે મહારાષ્ટ્રના નેતાએ સરકાર પર નિશાન સાધ્યું છે.
આવા કામ માટે સરકાર અક્ષય કુમાર જેવા એક્ટરનો ઉપયોગ કરે : ઠાકરે
લતા માંગેશકર અને સચિન જેવા ભારત રત્ન પાસે ટ્વિટ કરાવવું ખોટું : ઠાકરે
મને તો એ પણ નથી ખબર કે કોણ છે રિહાના : ઠાકરે
દેશમાં રાજકારણ ગરમાયું
ખેડૂત આંદોલનને લઈને વિદેશી હસ્તીઓ દ્વારા કરવામાં આવી રહેલી પ્રતિક્રિયા બાદ ભારતમાં રાજકારણ થઈ રહ્યું છે જેમાં ઘણા બધા નેતાઑ સરકાર સાથે સચિન તેંડુલકર અને લતા માંગેશકરને નિશાને લઈ રહ્યા છે. કેરળમાં કોંગ્રેસે સચિનનો વિરોધ કર્યો હતો જ્યારે આરજેડીના નેતાએ તો ભારતરત્ન આપવા પર જ સવાલો ઊભા કરી દીધા હતા. શરદ પવારે પણ સચિનને સંયમની શિખામણ આપી છે ત્યારે મહારાષ્ટ્રના ફાયર બ્રાન્ડ નેતા રાજ ઠાકરેએ આ મુદ્દે સરકારને આડે હાથ લીધી છે.
#WATCH | Govt shouldn't have asked big personalities like Sachin Tendulkar & Lata Mangeshkar to tweet in support of its stand & put their reputation at stake. They're recipients of Bharat Ratna. Actors like Akshay Kumar were enough for this task: MNS chief Raj Thackeray (06.02) pic.twitter.com/TPpJSQ7cAN
રાજ ઠાકરેએ કહ્યું કે લતા માંગેશકર અને સચિન જેવા ભારત રત્નનો ઉપયોગ ખોટો છે. તેમને આ પ્રકારે ટ્વિટ કરવા માટે કહેવું ના જોઈએ. સરકારના આ બધા અભિયાન માટે અક્ષય કુમાર જેવા લોકોનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેવા લોકો આ કામ માટે ઠીક છે. રિહાના મુદ્દે ઠાકરેએ કહ્યું કે આ મહિલા કોણ છે? મને એ પણ નથી ખબર કે તેણે ક્યારે શું કીધું. પણ આશ્ચર્યની વાત છે કે અહિયાં તો સરકાર જ તેને જવાબ આપી રહી છે.
પીએમ મોદી પર સવાલ ઊભા કરતાં તેમણે કહ્યું કે જો આંદોલન પર કરવામાં આવેલું ટ્વિટ એ આંતરિક મામલામાં દખલ છે તો ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં પીએમ મોદીએ અબકી બાર ટ્રમ્પ સરકારનો નારો લગાવ્યો હતો એ શું હતું?
શું છે મામલો?
નોંધનીય છે કે ખેડૂતોના સમર્થનમાં હવે વિદેશથી પણ ઘણા બધા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે ત્યારે પોપ સિંગર રિહાનાએ ઈન્ટરનેટ બંધ કરવા મામલે સવાલ ઊભો કર્યો હતો અને તે બાદ ભારતના ઘણા બધા કલાકારોએ સૂરમાં કહ્યું હતું કે આ ભારતનો આંતરિક મામલો છે અને તે બાદ આ મુદ્દો ખૂબ મોટો બન્યો હતો. બીજી તરફ પર્યાવરણની કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ દ્વારા ટ્વિટ કરવામાં આવેલ એક ટૂલકીટના કારણે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.