મુંબઈથી અડીને આવેલા ઢાણે શહેર પોલીસની ઓફિશિયલ વેબસાઈટ હેક થઈ ગઈ છે. વેબસાઈટ શરૂ કરતા જ 'હેક઼્ડ બાય વન હૈટ સાયબર ટીમ' લખેલુ દેખાઈ રહ્યું છે.
દેશભરમાં નૂપુર શર્માના નિવેદન બાદ વિવાદ થયો
વિશ્વભરના દેશોમાં આ વિવાદના પડઘા પડ્યા
અનેક જગ્યાએ હિંસા અને પથ્થરમારા દ્રશ્યો સર્જાયા
મુંબઈથી અડીને આવેલા થાણે શહેર પોલીસની ઓફિશિયલ વેબસાઈટ હેક થઈ ગઈ છે. વેબસાઈટ શરૂ કરતા જ 'હેક઼્ડ બાય વન હૈટ સાયબર ટીમ' લખેલુ દેખાઈ રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, જે હેકર્સે આ વેબસાઈટ હેક કરી છે, તેમાં ભારત સરકાર માટે મેસેજ પણ લખ્યો છે. આ મેસેજમાં હેકર્સે મુસ્લિમો પાસેથી માફી માગવાની વાત કહેવામાં આવી છે.
હકીકતમાં જોઈએ તો, છેલ્લા કેટલાય સમયથી દેશમાં મંદિર અને મસ્જિદનો મામલો ગરમાયેલો છે. સાથે જ હવે પયગંબર મહોમ્મદ પર ટિપ્પણીને લઈને દેશમાં કેટલીય જગ્યાએ હિંસા ભડકી હતી. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી સહિત મુસ્લિમ સમુદાયના દિગ્ગજ લોકો દેશમાં મુસ્લિમો અસુરક્ષિત હોવાની વાત કહી રહ્યા છે.
વિશ્વભરના મુસ્લિમો પાસે માફી માગો- મેસેજ
ઢાણે શહેર પોલીસની સત્તાવાર વેબસાઈટમાં લખેલા મેસેજમાં તેના પર ધ્યાન આપવામાં આવ્યું છે. હેક કરનારા શખ્સે લખ્યું છે કે, ભારત સરકાર, તમે વારંવાર ઈસ્લામના સંદર્ભમાં અડચણો ઉભી કરો છો, આપને સહનશિલતા દેખાતી નથી, ફટાફટ દુનિયાભરના મુસ્લિમો પાસે માફી માગો, નહીં તો અમે શાંત નહીં રહીએ.
સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર કાર્યવાહી પર અરજી દાખલ કરી
આ બાજૂ જમીયત ઉલેમા-એ-હિંદે યુપીમાં ચાલી રહેલી બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જમીયતે કોર્ટ પાસે માંગ કરી છે કે તેણે યુપી સરકારને આ કાર્યવાહી રોકવાનો નિર્દેશ આપવો જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, યોગ્ય કાયદાકીય પ્રક્રિયા વિના કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે જમીઅતે બુલડોઝરની કાર્યવાહી માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.