government shortlists 4 banks for potential privatisation bank of maharashtra bank of india indian overseas bank central bank of india and cbi ndav says report
રિપોર્ટ /
બેંકોના ખાનગીકરણના આગલા તબક્કા માટે સરકારે આ 4 સરકારી બેંકોની કરી પસંદગી
કેન્દ્ર સરકારે આવનારા સમયમાં ખાનગીકરણ માટે 4 સરકારી બેંકોની પસંદગી કરી છે.
મોટી બેંકોના ખાનગીકરણથી સરકારને થશે વધારે ફાયદો
બેંકિગં સેક્ટરને સ્વસ્થ્ય કરવાની તૈયારીમાં સરકાર
સૌથી પહેલી બેંક ઓફ મહારાષ્ટ્રાનું ખાનગીકરણ શક્ય
સરકારી બેંકોના ખાનગીકરણ માટે આ નિર્ણય રાજનીતિક રુપે જોખમ ભર્યું પગલુ
3 સરકારી સૂત્રોએ આ અંગે જાણકારી આપી છે કે બેંકિંગ સેક્ટરમાં સરકારી બેંકોના ખાનગીકરણ માટે આ નિર્ણય રાજનીતિક રુપે જોખમ ભર્યું પગલુ મનાઈ રહ્યું છે. કેમ કે તેનાથી લાખો લોકોની નોકરિયો પર અસર પડી શકે છે. પરંતુ મોદી સરકાર હવે બેંકોના ખાનગીકરણના બીજા ચરણની શરુઆત કરવાની તૈયારીમાં છે. જે ચાર બેંકોની ખાનગીકરણ માટે પસંદગી કરવામાં આવી છે તેમાંથી બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે પોતાના એક રિપોર્ટમાં 2 સરકારી સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. આ બન્ને બેંકોના ખાનગીકરણ નાણા વર્ષ 2021-22માં કરવામાં આવશે.
સરકાર નાનાથી માંડી મિડ સાઈઝની બેંકોની ખાનગીકરણ માટે પસંદગી કરી રહી છે
અધિકારીઓએ જણાવ્યું કે શરુઆતના સમયમાં સરકાર નાનાથી માંડી મિડ સાઈઝની બેંકોની ખાનગીકરણ માટે પસંદગી કરી રહી છે. આવનારા વર્ષોમાં અન્ય મોટા બેંકોના ખાનગીકરણના નિર્ણય પણ લેવામાં આવી શકે છે. જો કે દેશના સૌથી મોટા બેંક એટલે કે ભારતીય સ્ટેટ બેંકમાં સરકાર પોતાની મોટા હિસ્સામાં ભાગીદારી બનાવી રાખશે. SBIએ એક રીતે રણનીતિક બેંક પણ મનાઈ રહી છે. જેના માધ્યમથી કેન્દ્ર સરકાર પોતાના અનેક પહેલને લાગૂ કરે છે.
બેંકિગ સેક્ટરને સ્વસ્થ્ય કરવાની તૈયારીમાં સરકાર
આ મામલામા નાણા મંત્રાલય તરફથી હજું સુધી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે મહામારીના કારણે અર્થવ્યવસ્થાના સંકુચનને ભારતને મોટા પાયે રિફોર્મ્સ કરવા માટે મજબૂર કર્યુ છે. પહેલાથી જ ફસાયેલ દેવાના બોજાથી ઝઝૂંબી રહેલા બેકિંગ સેક્ટરને દુરસ્ત કરવા માટે મોદી સરકાર હવે જરુરી પગલા પર વિચાર કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે જો બેંક મહામારી દરમિયાન લોનમાં સામેલ કરે છે તો ફસાયેલા દેવાના આંકડામાં ભારે વધારો થઈ શકે છે.
સૌથી પહેલી બેંક ઓફ મહારાષ્ટ્રાનું ખાનગીકરણ શક્ય
આવનારા નાણા વર્ષમાં કેન્દ્ર સરકાર ફક્ત 4 બેંકોનું ખાનગીકરણ કરે. પરંતુ અધિકારીઓને સરકારના કર્મચારીઓના પ્રતિનિધિત્વ કરનારા યૂનિયનથી સતર્ક રહેવા પણ કહેવામાં આવ્યું છે. બેંક ઓફ ઈન્ડિયામાં 50 હજાર કર્મચારીઓ કામ કરે છે. જ્યારે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 33 હજાર કર્મચારીઓ છે. ઈન્ડિયન ઓવરસીજ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં કર્મચારીઓની સંખ્યા ક્રમશઃ 26 હજાર અને 33 હજાર છે. આ આંકડા બેંક યૂનિયનોના અનુમાન મુજબ છે. સૂત્રોનું કહેવું છે કે બેંક ઓફ મહારાષ્ટ્રનો વર્કફોર્સ ઓછો છે. એટલા માટે આ બેંકનું ખાનગીકરણ સંભવિત રુપે કરી શકાય છે. સરકાર દ્વારા બેંકોના ખાનગીકરણ અને ઈન્શ્યોરન્સ સહિત અન્ય કંપનીઓમાં ભાગીદારી વેચવાના વિરોધમાં સોમવારે વર્કર્સને 2 દિવસીય હડતાલ શરુ કરી છે.
મોટી બેંકોના ખાનગીકરણથી સરકારને થશે વધારે ફાયદો
સરકારને આશા છે કે ભારતીય રિઝર્વ બેંક બહું જલ્દી ઈન્ડિયન ઓવરસીજ બેંક પર લાગેલા પ્રતિબંધોને પાછા લેશે. ગત કેટલાક દિવસોમાં ઈન્ડિયન ઓવરસીજ બેંકની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. જાણકારોનું માનવું છે કે નાણાકિય રુપથી નબળી અને નાની બેંકોના ખરીદદાર પણ નહીં મળે. પરંતુ મોદી સરકાર બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકો જેવી મોટી બેંકોનું વેચાણ કરી શકે છે. નાની બેંકોના વેચાણથી સરકારને પૂરતી રકમ પણ નહીં મળે.