કોરોના સંક્રમણના વધતા કેસને લઈને રાજસ્થાન સરકારે મોટો નિર્ણય લીધો છે. અહીં સાવચેતીના ભાગરૂપે રાજ્યની તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. સરકારના આદેશ અનુસાર રાજ્યના પાસ વિના બહાર જવાની પરમિશન નથી. આ સાથે રાજ્યમાં બહારથી આવનારાઓએ ઓળખપત્ર બતાવવાનું રહેશે. આ સાથે જ બોર્ડર પર ચેક પોસ્ટ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય
કોરોના સંક્રમણ વધતાં રાજ્યની તમામ બોર્ડર કરી સીલ
આવન જાવન કરનારાઓએ આ નિયમોનું કરવાનું રહેશે કડક રીતે પાલન
ગૃહવિભાગે આપ્યા આ ખાસ આદેશ
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગૃહવિભાગે રાજ્યની સીમાઓ પર આવનજાવનને નિયંત્રિત કરવાના આદેશ આપ્યા છે. ગૃહ વિભાગના અનુસાર ફ્લાઈટ્સ, ટ્રેન, બસમાં પ્રોટોકોલ અનુસાર જ યાત્રીઓને પ્રવેશ અપાશે. તેમનું સ્ક્રીનિંગ કરાશે. બોર્ડર પર ચેક પોસ્ટ બનાવવામાં આવી છે. બહારથી આવતા જતાંનું અહીં સ્ક્રીનિંગ કરાશે. દરેકના ઓળખપત્રને પણ ચેક કરવામાં આવશે. આ સાથે અન્ય રાજ્યથી આવનારા વ્યકિતઓ પાસે પાસ હોવો જરૂરી રહેશે.
Rajasthan reports 574 new #COVID19 positive cases and 6 deaths today, taking the total number of positive case and deaths to 23,748 and 503, respectively: State Health Department pic.twitter.com/U7WTUSoH9K
રાજસ્થાન સરકારે ગૃહવિભાગને જાહેર કરેલા આદેશમાં કહેવાયું છે કે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકારનું માનવું છે કે રાજ્યની સીમાઓ પર સતત આવન જાવન તેનું મુખ્ય કારણ છે. રાજ્યના રહેવાસી અન્ય રાજ્યોમાં સામાજિક સમારોહમાં સામેલ થઈને પોતાને સંક્રમિત કરી રહ્યા છે. આ માટે બોર્ડર પર જ નિયંત્રિત પગલાં લેવામાં આવી રહ્યા છે. વિદેશથી આવી રહેલા લોકો માટે ગૃહમંત્રાલયે ખાસ નિયમોનું પાલન કરવા કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજસ્થાનમાં કુલ 574 નવા કેસ આાવ્યા છે અને 6 લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 23748 પહોંચી છે અને કુલ મોત 503 થયા છે.