ભારત આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોને રાહત આપતા એક પગલાંમાં સરકારે તેમના ભારત આગમન પર ભરવા પડતા ફોર્મને રદ કરી નાખ્યું છે.
આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરોને રાહત
હવે ભારત આગમન પર નહીં ભરવું પડે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ
કોરોના ઘટતા સરકારે નિયમ બદલ્યો
હવાઈ મુસાફરી કરતા મુસાફરો માટે રાહતના સમાચાર છે. દેશમાં હવે કોરોના કેસ ઘટતા સરકારે મહામારીના સમયમાં લાગુ પાડેલો એક નિયમ હટાવી દીધો છે. અત્યાર સુધી તો વિદેશથી આવનાર મુસાફરોએ ભારત આગમન પર એરપોર્ટ પર એર સુવિધા ફોર્મ ભરવું પડતું હતું. તમામ પ્રવાસીઓ માટે આ ફોર્મ ભરવું ફરજિયાત હતું પરંતુ હવે સરકારે આ ફોર્મ ભરવામાંથી મુસાફરોને છૂટ આપી છે. સરકારે આ ફોર્મને રદ કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમો આજે મધરાતથી અમલમાં આવશે. કોરોના મહામારી દરમિયાન હવાઈ મુસાફરી પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા, જેથી વાયરસના સંક્રમણને અટકાવી શકાય.
Government scraps requirement of filling Air Suvidha forms for international passengers amid declining coronavirus cases
વિદેશથી આવનાર લોકોએ વેક્સિનેશનલ સર્ટિફિકેટ આપવું પડતું હતું
હવાઈ મુસાફરો માટે રસીકરણના પ્રમાણપત્રો અને કોવિડ પરીક્ષણના અહેવાલો આપવાનું ફરજિયાત હતું. આ માટે એરપોર્ટ પર સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ ભરવું પડતું હતું, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય મુસાફરોને તેમાંથી રાહત મળી છે.
બે મંત્રાલયોએ બહાર પાડ્યું નોટિફિકેશન
સોમવારે સાંજે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નોટિસ જાહેર કરીને કહ્યું કે દેશ અને દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કોવિડ ચેપ માટે પણ અનેક પગલાં લેવામાં આવ્યા છે. ભારત સહિત વિશ્વભરમાં પણ મોટા પાયે વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રાલયે સંશોધિત દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.