પીએમ જન કલ્યાણ વિભાગ બધાને 5000ની આર્થિક સહાય આપી રહ્યો છે તેવા વાયરલ થયેલા મેસેજ પર પીઆઈબી દ્વારા ફેક્ટ ચેક કરાયું હતું.
વધુ એક વાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો મેસેજ
પીએમ જન કલ્યાણ વિભાગ બધાને આપી રહ્યો છે 5000ની આર્થિક સહાય
પીઆઈબી દ્વારા ફેક્ટ ચેક કરાયું
મેસેજ ફેક હોવાનું સાબિત થયું
વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર પણ એક મેસેજ વાયરલ થાય છે. મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ "વડાપ્રધાન જનકલ્યાણ વિભાગ" દ્વારા દરેકને 5000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી રહી છે.
એક ફોર્મ ભરવાથી મળે છે 5000ની સહાય-મેસેજ થયો વાયરલ
આ વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ "વડાપ્રધાનના લોક કલ્યાણ વિભાગ" દ્વારા દરેકને ₹5,000ની આર્થિક સહાય આપવામાં આવી રહી છે.
एक वेबसाइट "https://t.co/2rKAK8IHwe" दावा कर रही है कि एक ऑनलाइन फॉर्म भरने के बाद "प्रधानमंत्री जन कल्याण विभाग" द्वारा सभी को ₹5,000 की आर्थिक सहायता दी जा रही है#PIBFactcheck
વાયરલ મેસેજ ખોટો હોવાનું પુરવાર થયું
મેસજ વાયરલ થયા બાદ ભારત સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી દ્વારા ફેક્ટ ચેક કરાયું હતું. પીઆઈબીએ પોતાના ટ્વિટરથી ચેતવણી આપી છે કે આ વેબસાઈટ પર કરવામાં આવેલો દાવો ફેક છે. આવી કોઈ પણ વેબસાઇટ પર તમારી વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં.