ગુજરાતમાં કોરના વાયરસનો સંકજો વધુને વધુ ઘેરો બની રહ્યો છે ત્યારે પુરવઠા વિભાદ દ્વારા વારંવાર લોકોને હૈયાધારણ આપવામાં આવી રહી છે કે, આપણી પાસે પૂરતો અનાજનો બફર સ્ટોક છે. દોઢ વર્ષ ચાલે તેટલુ અનાજ છે. પણ ગ્રાઉન્ડ રિયાલિટી તો કંઈક ઓર જ કહાની કહે છે. કેમ કે, ક્યાંક અનાજ નથી મળી રહ્યુ તો ક્યાંક અનાજ ન મળવાને કારણે લોકો અંતિમ પગલું લેતા પણ ખચકાતા નથી. સરકારની વાતો અને વાસ્તવિકતા વચ્ચે આસમાની સુલતાની જેટલો મસમોટો તફાવત જોવા મળી રહ્યો છે.
શું કહે છે સરકાર?
સરકાર રોજ આપે છે હૈયાધારણ
સુરતમાં યુવાને અનાજની વ્યવસ્થા ન થતા વખ ઘોળ્યુ
કોરોના મહામારીમાં નાગરિકો સરકારની સહાયથી વંચિત રહ્યા છે. આંતરરાજ્યના લોકો માટે સરકારે અન્નબ્રહ્મ યોજના બનાવી છે. જશોદાનગરમાં વસતા આંતરરાજ્યના લોકોનો સર્વે પણ થયો છે. પરંતુ સર્વેના એક અઠવાડિયા બાદ પણ નાગરિકો અનાજથી વંચિત રહ્યાં છે. સર્વે છતાં અનાજ ન મળ્યોનો આંતરરાજ્યના લોકોએ દાવો કર્યો છે.
શું કહે છે સરકાર?
રાજકોટમાં ભારતીય ખાદ્ય નિગમ દ્વારા અનાજનો જથ્થો મોકલવામાં આવ્યો છે. છેલ્લા 15 દિવસમાં 42 વેગનની ચોથી ટ્રેન રાજકોટ પહોંચી છે. 3 ટ્રેનમાં 7800 મેટ્રિક ટન ચોખા અને 2630 મેટ્રિક ટન ઘઉં લાવવામાં આવ્યા છે. પંજાબથી રાજકોટ ઘઉં અને ચોખા મોકલવામાં આવ્યા છે. અનાજનો જથ્થો નાગરિક પુરવઠા નિગમને આપવામાં આવશે.
સુરતમાં યુવાને અનાજની વ્યવસ્થા ન થતા વખ ઘોળ્યુ
સુરતમાં લોકડાઉનની સ્થિતિની વરવી વાસ્તવિકતા જોવા મળી છે. અનાજની વ્યવસ્થા ન થતા યુવકે ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું છે. અનાજ અને નાણાંની વ્યવસ્થા ન થતા યુવકે આ પ્રકારનું પગલું ભર્યું હતું. જો કે હાલ યુવકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો છે. આપને જણાવી દઈએ કે,યુવક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ લોકોડાઉનના કારણે કામ બંધ થતા આવક બંધ થઈ હતી.
સરકાર રોજ આપે છે હૈયાધારણ
અનાજ પુરવઠાને લઇ ગુજરાતના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. લોકોને અન્નનો પુરવઠો મળી રહે તેના માટે સરકારનું ફૂડ કોર્પોરેશન ઇન્ડિયા કટીબદ્ધ દેખાઇ રહ્યું છે. દરરોજ 12 હજાર ટન ઘઉં અને ચોખા ભારત સરકાર દ્વારા ગુજરાત સરકારને આપવામાં આવે છે. અન્ય રાજ્યમાંથી પ્રતિ દિવસ 12 હજાર ટનની ખરીદી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 3 કરોડ 82 લાખ લાભાર્થીઓને બમણું અનાજ 3 મહિના સુધી આપવામાં આવશે. ગુજરાતમાં દોઢ વર્ષ સુધી અનાજ મળી રહે તેવી FCIની તૈયારી છે. રાજ્યના ફૂડ કોર્પોરેશનના 33 ગોડાઉનમાં જથ્થો ઉપલબ્ધ છે. આ તમામ ગોડાઉનમાં 6 લાખ 50 હજાર ટન અનાજનો જથ્થો છે. અને દરરોજ માલગાડી મારફતે અનાજનો જથ્થો અમદાવાદ આવી રહ્યો છે.
પાટણના હારીજમાં અનાજ કૌભાંડ
પાટણના હારીજમાં સરકારી અનાજને સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. બતામીને આધારે હારીજ પોલીસે દરોડા પાડી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે. અંદાજે 14 લાખ 53 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. ઘઉં, ચોખા સહિત કુલ 431 બોરીઓ કબ્જે કરવામાં આવી છે. આ કૌભાંડમાં પાટણ પુરવઠા વિભાગના કર્મચારીઓની સંડોવણી હોવાનું અનુમાન છે.
રાજકોટમાં સરકારી અનાજ સગેવગે?
રાજકોટમાં સરકારી અનાજના કૌભાંડની અટકળો તેજ બની છે. રાજકોટ-મોરબી હાઈવે પર અનાજની ખાલી કોથળીઓ મળી આવી છે. પુલની નીચે મોટા જથ્થામાં અનાજની કોથળીઓ મળી આવી હોવાનું સામે આવ્યું છે. લોકડાઉનમાં અનાજની ખાલી કોથળીઓ મળતા કલેક્ટરને જાણ કરવામાં આવી છે. ત્યારે કલેક્ટરે આ સમગ્ર મામલે તપાસ કરવાની બાંહેધરી આપી છે.
નવસારીમાં અનાજની ચોરી
લોકડાઉન વચ્ચે નવસારીમાં અનાજની ચોરીની ઘટના સામે આવી છે. નવસારીમાં અનાજના 10થી વધુ કટ્ટાની ચોરી થયાની ઘટના સામે આવી છે. લોકડાઉનના સમયમાં અનાજની ચોરી થઇ છે. તુવેર દાળ અને ચોખાની 10 વધુ કટ્ટાની ચોરી થઇ છે. પોલીસ મથકમાં અનાજ ચોરીની ફરિયાદ નોંધાઇ હતી.