રાજ્યભરના STના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. ST બસના કર્મચારીઓ સામે સરકારે કડક વલણ દાખવ્યું છે. સરકાર STના કર્મચારીઓ સામે ઝૂકવા તૈયાર નથી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર ખાનગી વાહન ચાલકોને છૂટ આપી શકે છે. ખાનગી વાહન ચાલકોને ST સ્ટેશનની બહારથી મુસાફરોને ભરવાની સરકાર છૂટ આપી શકે છે.
મહત્વનું છે કે આજે રાજ્યભરના ST બસના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.. આ હડતાળમાં રાજ્યના 45 હજાર જેટલા STના કર્મચારીઓ જોડાયા છે. કર્મચારીઓની હડતાળના કારણે GSRTCની 8 હજાર જેટલી બસ બંધ છે. ST બંધ હોવાના કારણે મુસાફરો પરેશાન થયા છે.
CM રૂપાણીની પ્રતિક્રિયા
ગુજરાતમાં એસ.ટી વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જેને લઈ હવે મુખ્યમંત્રી વિજયરૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે. કે કોઈ પણ મોટી સમસ્યાનું ટેબલ પર બેસીને નિરાકરણ આવી શકે ન કે જાહેરમાર્ગોને બંધ કરવાથી.
હડતાળ પડવાથી મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. જેની નોંધ કર્મચારીઓએ પણ લેવી જરૂરી હોવાનું સીએમ એ જણાવ્યું છે. રૂપાણીએ કહ્યું કે આંદોલન કરવાનો અધિકાર સૌ કોઈને છે પરંતુ પ્રજાને પરેશાની થઈ રહી છે તેનું ધ્યાન રાખવું જોઈએ.
લોકોની હાલત કફોડી
આ હડતાળમાં ગીર સોમનાથના કોડીનાર ઉના વેરાવળના ST ડેપોના 491 જેટલા કર્મચારીઓ જોડાય છે. જેના કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ST બસ બંધ હોવાના કારણે લોકો ખાનગી વાહનોમાં મુસાફરી કરી રહ્યા છે. ખાનગી વાહન ચાલકો બેફામ રીતે રૂપિયા વસુલી રહ્યા છે.. વધુ ભાડુ આપીને મુસાફરોને મુસાફરી કરવાનો વારો આવ્યો છે.