નાણાં પ્રધાન ટી વી સોમનાથને ગુરૂવારે ક્રિપ્ટોકરન્સીની કાયદેસરતાને લઇને સ્પષ્ટતા કરતા કહ્યું કે ખાનગી ડિજિટલ કરન્સી ક્યારેય પણ કાયદેસર મુદ્રા બનશે નહીં.
નાણાં પ્રધાને ક્રિપ્ટોકરન્સીની કાયદેસરતાને લઇ કરી સ્પષ્ટતા
ખાનગી ડિજિટલ કરન્સી ક્યારેય પણ કાયદેસર મુદ્રા બનશે નહીં
ભારતીય રિઝર્વ બેન્કનો ડીજીટલ રૂપિયો જ દેશમાં કાયદેસર મુદ્રા હશે
ખાનગી ક્રિપ્ટોકરન્સી પણ ક્યારેય કાયદેસર મુદ્રા બનશે નહીં
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આ અઠવાડિયે સંસદમાં રજૂ થયેલા 2022-23ના બજેટમાં ક્રિપ્ટોકરન્સી અને અન્ય ડિજીટલ સંપત્તિઓમાં લેવડ-દેવડ થતા લાભને લઇને 30 ટકા ટેક્ષ લગાવવાનો પ્રસ્તાવ કર્યો. આ સાથે એક મર્યાદાથી વધુની લેવડ-દેવડ પર એક ટકા ટીડીએસ લગાવવાની પણ જાહેરાત કરી. સોમનાથને કહ્યું કે જે રીતે સોનુ અને હીરા મૂલ્યવાન હોવા છતાં કાનૂની મુદ્રા નથી એ જ રીતે ખાનગી ક્રિપ્ટોકરન્સી પણ કાયદેસર મુદ્રા નથી. તેમણે કહ્યું, ક્રિપ્ટો ક્યારેય પણ કાયદેસર મુદ્રા થશે નહીં. કાયદા મુજબ, કાયદેસર મુદ્રાનો અર્થ છે કે તેને દેવાની ચૂકવણીમાં સ્વીકાર કરવામાં આવે. ભારત ક્યારેય પણ ક્રિપ્ટો કરન્સીને કાયદેસર મુદ્રા બનાવશે નહીં. ફક્ત ભારતીય રિઝર્વ બેન્કનો ડીજીટલ રૂપિયો જ દેશમાં કાયદેસર મુદ્રા હશે. વિશ્વમાં માત્ર અલ-સલ્વાડોરે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બિટકોઈનને કાયદાકીય મુદ્રા તરીકે સ્વીકાર કર્યો છે. કોઈ પણ અન્ય દેશમાં ક્રિપ્ટોને કાયદેસર મુદ્રાનો દરજ્જો મળ્યો નથી. દેશમાં ક્રિપ્ટો મુદ્રા માટે નિયમ બનાવવા અંગે વિચાર-વિમર્શ ચાલુ છે. પરંતુ અત્યાર સુધી કોઈ કરાર જાહેર કરવામાં આવ્યો નથી.
કાયદો લાવવા માટે વ્યાપક વિચાર-વિમર્શ જરૂરી
આ દરમ્યાન કેન્દ્રીય બેંકની ડીજીટલ મુદ્રા આગામી નાણાંકીય વર્ષથી કામગીરીમાં આવશે. સંસદના શિયાળુ સત્રમાં ક્રિપ્ટો સંપત્તિના નિયમનને લઇને બિલ લાવવાની વાત સંસદના કામકાજમાં સામેલ હતી પરંતુ હાલના બજેટ સત્રમાં આવુ નથી. સોમનાથને કહ્યું, આ અનુભવવામાં આવ્યું કે ક્રિપ્ટો પર કાયદો લાવતા વહેલા તેના પર વ્યાપક વિચાર-વિમર્શની જરૂર છે.