લોકસભાની ચૂંટણી બાદ હવે ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવી શકે છે. રૂપાણી સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થઈ શકે છે. ગુજરાતના દિગ્ગજ નેતાઓના ખાતાઓમાં ફેરફાર કરવામાં આવી શકે છે.
દિગ્ગજ નેતાઓને સોંપવામાં આવેલા ખાતાઓમાં બદલાય તેવી શક્યતા છે. પ્રદીપસિંહ જાડેજાને કેબિનેટમાં સમાવવામાં આવી શકે છે. સીએમ રૂપાણી પાસે રહેલ શહેરી વિકાસ વિભાગ ખાતું બીજા કોઈ નેતાને સોંપવામાં આવે તેવી શક્યતા છે.
મંત્રી પરબત પટેલે રાજીનામું આપતા ખાલી પડેલું મંત્રીપદ ભરવામાં આવશે. સાથે સૌરભ પટેલના ખાતામાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. રાજ્યના મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહના ખાતામાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. રૂપાણી સરકાર દ્વારા ગૃહવિભાગ બીજા કોઈ નેતાને આપવામાં આવી શકે છે.