દેશમાં કોરોના વાયરસનો આતંક વધી રહ્યો છે જે માહોલમાં સરકારે કેટલાક અતિ મહત્વના આંકડાઓ જાહેર કર્યા છે. આ આંકડાઓમાં અત્યાર સુધી નોંધાયેલા કેસીસમાં દર્દીઓ કેટલી ઉંમરના ગાળામાં હતા તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
અત્યારે સરકારી અહેવાલ પ્રમાણે મોટી ઉંમરના લોકો અને જે લોકો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કિડનીની સમસ્યા, હ્રદયરોગ જેવા રોગોથી પહેલેથી પીડાતા હોય એવા લોકોના મોત વધારે થયા છે.
— PIB India 🇮🇳 #StayHome #StaySafe (@PIB_India) April 4, 2020
પોઝીટીવ કેસ તરીકે આવેલા દર્દીઓની ઉંમરનો અભ્યાસ કરતા આ પ્રમાણે જણાયું છે.
8.61% કેસમાં 0 થી 20 વર્ષની ઉંમરના દર્દીઓ છે.
41.88% કેસમાં 21 થી 40 વર્ષની ઉંમરના દર્દીઓ છે.
32.82% કેસમાં 41 થી 60 વર્ષની ઉંમરના દર્દીઓ છે.
16.69% કેસમાં 60 થી વધુ વર્ષની ઉંમરના દર્દીઓ છે.
સરકારે લીધેલા પગલા
અત્યારે દેશમાં ૯.૭ લાખ આશા વર્કર્સ, ૧ લાખ આયુષ કાર્યકરો, NCCના કેડેડસ, સેનાના નિવૃત કર્મચારીઓ, અલગ અલગ સ્વયંસેવકો, ગ્રામ પંચાયત અને શહેરની નગર પાલિકાઓના કર્મચારીઓ વગેરે જેવા અનેક લોકો અત્યારે આ વ્યવસ્થાપન સાંભળી રહ્યા છે અને ડોકટરો અને મેડિકલ સ્ટાફને કેવી રીતે મદદરૂપ થઇ શકાય તેનું ધ્યાન રાખી રહ્યા છે. રાજ્યના ૩૧૦૦૦ ડોકટરોની ટીમ અત્યારે આ દર્દીઓની સાચવણીમાં કાર્યરત છે. આ ટીમમાં નિવૃત થઇને સ્વયંભૂ જોડાયેલા ડોકટરોનો પણ સમાવેશ થાય છે.
શું છે દેશમાં કોરોના વાયરસના આંકડા
અત્યારે દેશમાં ૨૦૯૨ પોઝીટીવ કેસીસ છે જેમાંથી ૧૦૨૩ કેસ તબલિઘી જમાત સાથે સંબંધ રાખે છે. આવા કેસ ૧૭ રાજ્યોમાં ફેલાયા છે. ૧૮૩ લોકો કોરોના વાયરસથી સાજા થઇ ગયા છે.
4થી એપ્રિલના સાંજે 6 વાગ્યા સુધીના અહેવાલ પ્રમાણે દેશમાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1 થી 10 પોઝીટીવ કેસ છે. દેશમાં 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 11 થી 100 પોઝીટીવ કેસ છે. દેશમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 100થી વધુ પોઝીટીવ કેસ છે. (Source : PIB)