દિલ્લીની સીમાઓ પર કૃષિ કાયદા વિરુદ્ધ 55 દિવસથી ચાલી રહેલા આંદોલન વચ્ચે બુધવારે ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી. જો કે આ બેઠકમાં પણ કોઇ નિરાકરણ ન આવ્યું. ત્યારે ખેડૂત સંગઠનની આજે બેઠક મળશે જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે તેમજ સરકારના પ્રસ્તાવ અંગે 22મીએ જવાબ આપવામાં આવશે.આમ જો ખેડૂત આંદોલનની બેઠકમાં સરકારનો પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવશે તો ખેડૂત આંદોલન સમેટાઇ શકે છે.
ખેડૂતોનું આંદોલન, બેઠકોનો દૌર
આગામી બે દિવસમાં નક્કી થશે ભવિષ્ય
દોઢ વર્ષ કાયદો સ્થગિત કરવા પ્રસ્તાવ
સરકારે સહમતિ ન બને ત્યાં સુધી કૃષિ કાયદાને સ્થગિત કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. હવે આ પ્રસ્તાવ પર ખેડૂત સંગઠનો આજે બેઠક કરશે. જેમાં સરકારે મુકેલા પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે.
કૃષિ કાયદો પરત નહીં ખેંચીએ પરંતુ.....
કૃષિ મંત્રી તોમરે કહ્યું હતું કે ત્રણ કાયદા સાથે તબક્કાવાર ચર્ચા માટે અમે તૈયાર છીએ. પણ સરકાર કોઈપણ કિંમત પર કૃષિ કાયદો પરત નહીં ખેંચે.. કૃષિ મંત્રીએ કહ્યું કે સરકાર અને ખેડૂત સંગઠનોના નેતાઓની એક કમિટી બનાવી દઈએ. જ્યાં સુધી વચ્ચેનો માર્ગ નહીં નીકળે ત્યાર સુધી કાયદો લાગુ નહીં કરીએ.
આજની બેઠકમાં ખેડૂતો નક્કી કરશે આગળની રણનીતિ
સંયુક્ત ખેડૂત મોરચાના ડો. દર્શનપાલે જણાવ્યું હતું કે સરકાર સાથેની બેઠક સકારાત્મક રહી. આ દરમિયાન કૃષિ કાયદા, MSP સહિત અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી. આજની બેઠકમાં ખેડૂત સંગઠનો આ અંગે ચર્ચા કરી આગળની રણનીતિ તૈયાર કરશે.
કમિટીની પક્ષમાં નથી ખેડૂત
મોરચાના શિવકુમાર શર્માએ કહ્યું કે સરકાર તરફથી MSP ને કાયદાકીય ગેરંટી આપવાની માગ પર કમિટિ બનાવવાની રજૂઆથ કરી. પરંતુ શિવકુમાર શર્માએ કહ્યું કે આ પહેલા છ કૃષિ આયોગનો ખેડૂતો કોઇ ફાયદો ના મળ્યો. છઠ્ઠા આયોગ હેઠળ MS સ્વામીનાથનની ભલામણ અત્યાર સુધી લાગુ કરવામાં આવી નથી.
પરેડીની તૈયારી જોરશોરથી
26 જાન્યુઆરીથી ટ્રેકટર પરેડ અંગે ડો. દર્શનપાલે કહ્યું કે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હેઠળ કરવામાં આવશે. જેમાં માત્ર પૂર્વ સૈનિક સાથે ખેલાડીઓ સહિત સમજાના અન્ય વર્ગોના પ્રબુદ્ધ લોકો પણ સામેલ થશે. બધી સરહદ પર ખેડૂત આંદોલન માટે કરવામાં આવી રહેલી તૈયારીઓની ઝાંખી તરીકે સામેલ કરવામાં આવી શકે છે.