બેંકમાં અકાઉન્ટ ખોલવા માટે આધારકાર્ડની અનિવાર્યતા ખતમ થા બાદ સરકાર અને રિઝર્વ બેંક ઓફલાઇન આધાર દ્વારા બેંક અકાઉન્ટ ખોલવા પર વાતચીત કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે બેંક અકાઉન્ટ QR કોડથી ખુલશે. એટલે ઓફલાઇન આધાર દ્વારા બાયોમેટ્રિક ekycની જગ્યા QR કોડને સ્કેન કરવામાં આવશે. વાતચીત સપલ થવા પર બેંક અકાઉન્ટ ખોલાવવા ઇન્સ્યોરન્સ ખરીદવા અને પેમેન્ટ વોલેટ ઓપરેટ કરવા માટે નવા ઓફલાઇન આધારનો ઉપયોગ કરવામાં આવશે.
ઓફલાઇન આધારનું UIDAI નું સર્વરથી કોઇ લિંક હોતું નથી QR કોડ વાળા પ્રિન્ટ આઉટને UIDAI દ્વારા ડિજીટલ સાઇન કરવામાં આવશે. જેનાથી આ ડોક્યૂમેન્ટ રાશન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અને મતદાન ઓળખપત્ર જેટલું વિશ્વાસપાત્ર થઇ જશે. સાથે જ પાસપોર્ટ ઓફિસ અને બેંકને એમાં ઘણી સુવિધા થઇ જશે.
UIDAI અનુસાર ઓફલાઇન આધાર KYC ની નવી રીત હોઇ શકે છે. એમાં વ્યક્તિનું નામ ફોટોગ્રાફ અને સરનામા ઉપરાંત બાકી જાણકારી ખાનગી રહે છે. એટલા માટે આ લોકોની જાણકારીને સેફ રાખવાની સારી રીત બની શકે છે.