કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે બુધવારે રાજ્યસભામાં જણાવ્યું કે હવે નવા શ્રમ કાયદા અનુસાર હડતાળ કરવાને 14 દિવસ પહેલા કર્મચારીઓએ આ અંગેની જાણકારી આપવી આવશ્યક રહેશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો કોઇ પણ યૂનિટમાં હડતાળ પાડવાનું નક્કી થાય છે તો તે અંગે 14 દિવસ પહેલા સૂચના આપવી પડશે. આ એક નવા શ્રમ કાયદાનો એક ભાગ છે, જેને સરકાર લઇને આવવાનું વિચારી રહી છે અને મંત્રાલય આ વિષયને લઇને કેટલાક રાજ્યના સંપર્કમાં પણ છે.
હડતાળ પાડતાં પહેલા 14 દિવસ પહેલા આપવી પડશે સૂચના
શ્રમ મંત્રી સંતોષ ગંગવારે રાજ્યસભામાં કહી આ વાત
રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નમાં આપ્યો હતો આ જવાબ
શ્રમ કાયદામાં સુધારાનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ હેઠળ 44 શ્રમ કાયદાઓ અને ચાર કોડને સામેલ કર્યા છે. સંતોષ ગંગવારે એમ પણ જણાવ્યું કે 2016ના સર્વે મુજબ દેશમાં 10 કરોડ પ્રવાસી મજદૂર છે, જે કુલ શ્રમ બળના 20 ટકા છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકાર આ સમસ્યાને સારી રીતે સમજે છે અને તેઓ પ્રવાસી કામદારના મુદ્દાને પણ કોડમાં ચર્ચા કરશે. શ્રમ મંત્રી સાંસદ રાકેશ સિંહા તેમજ કોંગ્રેસના દિગ્વિજય સિંહે દ્વારા પૂછવામાં આવેલા સવાલનો કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવાર જવાબ આપી રહ્યાં હતા.
શ્રમ મંત્રીએ બુધવારે રાજ્યસભામાં જણાવ્યું કે ગત ત્રણ વર્ષોમાં મંત્રાલયને શ્રમિકોની જેટલી પણ માંગ મળી છે, તેમાં 95માંથી 98 ટકા માગોનું સમાધાન કરી હડતાળને રોકવામાં સફળતા મળી છે.
આમ સરકારી પ્રસ્તાવનું માનીએ તો નવા લેબર કાનૂન હેઠળ કોઇ પણ કર્મચારીને હડતાળ પર જવું હોય તો 14 દિવસ પહેલા નોટીસ આપવી પડશે. એટલે કે જો 1 ડિસેમ્બરે હડતાળ પર જવુ હોય તો 14 દિવસ પહેલા એટલે કે 17 નવેમ્બરના રોજ નોટિસ આપવી પડશે.