કોરોના વાયરસના કારણે દેશભરમાં ત્રીજી મેસુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. એવામાં જેમ જેમ ત્રીજી તારીખ નજીક આવી રહી છે તેમ તંત્રએ લોકડાઉન બાદની પરિસ્થિતિમાં કઈ રીતે કામ કરીશું તેના પર પ્લાન બનવવાની શરૂઆત કરી દીધી છે. લોકડાઉન ખતમ થયા બાદ કઈ રીતે કામકાજ કરવામાં આવશે તેના પર ચર્ચા-વિચરણા શરુ થઇ ગઈ છે.
લોકડાઉનના કારણે અર્થતંત્રને પડી રહ્યો છે ફટકો
સરકાર ઓછામાં ઓછા લોકોમાં વધુમાં વધુ કામના અભિગમને અપનાવશે
ત્રીજી મે બાદની પરિસ્થિતિ વિશે સરકાર બનાવી શકે છે ગાઈડલાઈન
ઈકોનોમી પાટા પર આવે તથા લોકો પણ બચે તે રીતે થશે કામ
કોરોના વાયરસના કારણે દેશની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થઇ રહ્યું છે. એવામાં સરકાર સામે અર્થતંત્રને વેગવંતુ રાખવાનો પડકાર છે અને સાથે લોકૉનાં જીવ પણ બચાવવાના છે. એવામાં લોકડાઉન બાદ તરત જ બધા લોકો એકબીજાનાં સંપર્કમાં આવવાનું શરુ કરી દેશે તો મોટું નુકસાન થઇ શકે છે. ત્યારે સૂત્રો અનુસાર સરકાર ઓછામાં ઓછા લોકો અને વધુમાં વધુમાં કામ કઈ રીતે થઇ શકે તેના પર પ્લાન બનાવી રહી છે. જેથી દેશની ઈકોનોમીને ફાયદો થાય અને લોકો કોરોનાથી બચેલા રહે.
3મે બાદ બાદ છૂટછાટ આપવા પર વિચારણા
નોંધનીય છે કે દેશમાં હવે લોકડાઉન લંબાવવામાં આવે કે નહી તેના પર કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી. પરંતુ સરકારમાં લોકડાઉન બાદની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે જેમ 20 એપ્રિલના રોજ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં છૂટછાટ આપવામાં આવી હતી તેમ જ 3મે બાદ વધુ છૂટછાટ આપવામાં આવે તેવું સૂત્રોનું માનવું છે.
લગ્નપ્રસંગ અને ધાર્મિક કાર્યક્રમમાં છૂટ પડે તેની સંભાવના ઓછી
નોંધનીય છે કે સરકાર વધુમાં વધુ ઓફીસને વર્ક ફ્રોમ હોમ માટે આગ્રહ કરી શકે છે. આ સિવાય જે કારખાના શરુ થશે તેમાં શિફ્ટની ટાઈમિંગ વધારીને સોશિયલ ડીસ્ટન્સ જળવાય તેના પર ભાર મૂકવામાં આવશે. સરકાર લોકડાઉન બાદ લગ્નપ્રસંગ અને ધાર્મિક કાર્યક્રમો માટે છૂટ આપે તેની સંભાવના ખૂબ ઓછી. તથા દેશ માટે ગાઈડલાઈન પણ તૈયાર કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેશે નિર્ણય
ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે 15મી મે બાદ ભારતમાં કોરોનાની સ્થિતિ પર તસવીર સાફ થઇ જશે. અને લોકડાઉન મુદ્દે કોઈ પણ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ લેશે. હાલમાં ભારતમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 23 હજારને વટાવી ગઈ છે તથા 700થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.