દેશમાં લોકોને ઉત્તમ અને સસ્તી સ્વાસ્થ્ય સેવાઓ આપવા માટે કેન્દ્ર સરકાર સતત કામ કરી રહી છે.
સ્વાસ્થ્યના ક્ષેત્રમાં મોદી સરકાર કરવા જઈ રહી છે મોટુ કામ
ગંભીર બિમારીઓની સારવાર સસ્તી થઈ શકે છે
આ દવાઓના ભાવમાં 70 ટકા સુધીનો આવી શકે છે ઘટાડો
દેશમાં લોકોને ઉત્તમ અને સસ્તી સ્વાસ્થ્ય સેવાઓ આપવા માટે કેન્દ્ર સરકાર સતત કામ કરી રહી છે. હોસ્પિટલોમાં સુવિધાઓ વધારવાની સાથે સાથે જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. આ તમામની વચ્ચે સરકારી સૂત્રોના હવાલેથી કહેવાય છે કે, કેન્દ્ર સરકાર 15 ઓગસ્ટે ગંભીર બિમારીઓની સારવારમાં અપાતી દવાઓના ભાવમાં ઘટાડો કરી શકે છે. આ દવાઓમાં કેન્સર, ડાયાબિટીસ, હ્રદયની બિમારી સહિત અન્ય ગંભીર બિમારીઓની દવા સામેલ છે. સરકારના આ નિર્ણયથી સારવાર લઈ રહેલા લોકોને ખૂબ રાહત મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, કેન્દ્ર સરકાર તરફથી પ્રાપ્ત અમુક પ્રસ્તાવ તૈયાર થઈ ચુક્યા છે, પણ હજૂ સુધી આ યોજનાને લઈને કોઈ અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી. એક રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર ઓફિસરોનું કહેવુ છે કે, સરકાર દવાઓના વધારે ભાવને લઈને ચિંતિત છે, તેથી તેના ભાવ ઘટાડવા માગે છે.
સૂત્રોનું કહેવુ છે કે, જો સરકાર તરફથી તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવો પર અંતિમ મહોર લાગે છે અને તે મંજૂરી થઈ જશે, તો ગંભીર બિમારીઓમાં ઉપયોગમાં લેવાતી મોટા ભાગની દવાઓના ભાવ 70 ટકા જેટલા ઘટી જશે. તેની સાથે જ સરકાર નેશનલ લિસ્ટ ઓફ ઈંજેશિયલ મેડિસન 2015ને પણ અપડેટ કરવા માગે છે. જેથી હાલના સમયમાં ઉપયોગમાં લેવાતી દવાઓને પણ તેમાં સામેલ કરી શકે છે.