ભારત સરકારે કોરોના વાયરસને રોકવા માટે એક વિશેષ મોબાઇલ એપ્લિકેશન કોરોના કવચ શરૂ કરી છે. આ મોબાઇલ એપ્લિકેશનની મદદથી લોકો જાણી શકશે કે તેમનામાં વાયરસનું કેટલું જોખમ છે અને તેનાથી બચવા માટે તેમણે શું પગલા ભરવા જોઈએ.
આ સિવાય કોરોના કવચ એપ યુઝર્સને આ વાયરસથી સંબંધિત તમામ પ્રકારની માહિતી પણ આપશે. હાલમાં, એપ્લિકેશન બીટા સ્ટેજ પર છે અને તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.સરકાર દ્વારા ટૂંક સમયમાં આ એપ્લિકેશન લોકો માટે લોન્ચ કરવામાં આવશે.આ એપથી ચેપગ્રસ્ત લોકોને શોધવામાં પણ સરકારને મદદ મળશે.
ભારત સરકાર આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ચેપગ્રસ્ત લોકોના લોકેશન ની પણ તપાસ કરશે. સરકાર કહે છે કે લોકોને આ કોરોના વાયરસથી બચાવવા અને સાચી માહિતી આપવા આ એપ તૈયાર કરવામાં આવી રહી છે.એન્ડ્રોઇડ યુઝર્સ આ મોબાઈલ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. આ એપ્લિકેશન દર કલાકે યુઝરના લોકેશનને ટ્રેક કરે છે અને તે તપાસ કરે છે કે તેને કોરોનાનું જોખમ છે કે કેમ? યુઝરે મોબાઇલ નંબર દ્વારા એપ પર રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. ઓટીપી એન્ટર કર્યા પછી, તમને એપ્લિકેશનના હોમ પેજ પર કોરોના વાયરસ વિશેની માહિતી મળશે.કોરોના કવચ મોબાઇલ એપ્લિકેશન ઓપન કરતાં છ પ્રશ્નોનું ફોર્મ ખુલશે.
ફોર્મમાં કોરોના વાયરસથી સંબંધિત કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે, જેમ કે તમને શ્વાસ લેવામાં તકલીફ છે અથવા તમે વિદેશથી પાછા આવ્યા છો કે કેમ? એપ્લિકેશનની નીચેના ભાગમાં. કોરોના કવચ, ઓપ્શન અને અપલોડના બટન દેખાશે. કોરોના કવચ પર કલિક કરતાં કલોક ઉલ્ટી ગણતરી કરશે અને એપ તમને ટ્રેક કરવાનું શરુ કરશે.