ગુજરાતના કિનારે આવેલ બે કેન્દ્ર શાસિતપ્રદેશ દીવ-દમણ અને દાદરાનગર હવેલીને મર્જ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. જેનું આગામી સપ્તાહમાં લોકસભામાં બિલ રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને બે UTમાં વિભાજીત કરાયા હતા.
દાદરાનગર હવેલી અને દીવ-દમણને મર્જ કરાશે
આવતા સપ્તાહમાં લોકસભામાં બિલ રજૂ થશે
મર્જ થયા બાદ આ સંખ્યા ઘટીને 8 થઇ જશે
કેન્દ્ર સરકાર બે કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ-દમણ અને દાદરાનગર હવેલીને મર્જ કરીને એક કરવાની યોજના બનાવી રહ્યું છે. બન્ને પ્રદેશોને મર્જ કરવાનો પ્રસ્તાવ સરકાર આગામી સપ્તાહમાં લોકસભામાં રજૂ કરશે. કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવારે શુક્રવારે આ માહિતી આપી હતી. જમ્મૂ કાશ્મીરને બે ભાગોમાં વિભાજીત કરીને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ બાદ હવે સરકારે આ નિર્ણય કર્યો છે.
મેઘવાલે કહ્યું હતું કે દાદરાનગર હવેલી અને દીવ-દમણ મર્જર ઓફ યૂનિયન ટેરીટરીઝ બિલ 2019 આગામી સપ્તાહમાં લોકસભામાં રજૂ કરવામાં આવનાર બિલની સૂચીમાં સામેલ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાત પાસે દેશના પશ્ચિવ તટ પર સ્થિત બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોને મર્જ શ્રેષ્ઠ તંત્ર અને કેટલીક વસ્તુઓના પુનરાવર્તન પર રોક લગાવવામાં સહાયક થશે.
35 કિમીના અંતરે બે સચિવાલય, બજેટ પણ અલગ
હજુ બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે અલગ બજેટ અને સચિવાલય છે, જ્યારે બન્ને વચ્ચે અંદાજિત 35 કિમીનું અંતર છે. દાદરાનગર હવેલી માત્રે એક જિલ્લો છે અને દીવ-દમણમાં માત્ર બે જિલ્લા છે. નવા કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ 'દાદરા, નગર હવેલી, દમણ અને દીવ' હશે. જેનું મુખ્યાલય દીવ-દમણ હોઇ શકે છે.
5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને બે UTમાં વિભાજીત કરાયા
આ પહેલા 5 ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દીધા હતા. ત્યાર બાદ દેશમાં આ સમયે 9 કેન્દ્ર શાસિત પ્રદેશ થઇ ગયા છે. જોકે દીવ-દમણ અને દાદરાનગર હવેલીને મર્જ કરાયા બાદ આ સંખ્યા ઘટીને 8 થઇ જશે.