કેન્દ્ર સરકારે પોતાનો ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ પૂરો કરવા માટે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સેઇલ)નો 5 ટકા હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે. સરકાર OFS દ્વારા 5 ટકા સ્ટેક વેચીને રૂ.1000 કરોડ એકત્ર કરશે. સેઇલમાં હાલ સરકારનો 75 ટકા હિસ્સો છે. આ અગાઉ ડિસેમ્બર-2014માં પણ સેઇલનો 5 ટકા હિસ્સો વેચવામાં આવ્યો હતો.
સેઈલમાં પાંચ ટકા હિસ્સો વેચીને રૂપિયા 1000 કરોડ એકત્ર કરાશે
સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં જ સેઇલનો 5 ટકા હિસ્સો વેચશે
સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં જ સેઇલનો 5 ટકા હિસ્સો વેચશે. કારણ કે સરકારે રૂપિયા 65 હજાર કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટનો સુધારેલ ટાર્ગેટ પૂરો કરવાનો છે.
ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા સરકાર હજુ રૂપિયા 34 હજાર કરોડ જ પ્રાપ્ત કરી શકી છે અને બાકીના રૂપિયા 31 હજાર કરોડનું ટાર્ગેટ માર્ચના અંત સુધીમાં પૂરા કરવાનું રહેશે.
સરકારે નાણાકીય વર્ષ 2020-21માં સીપીએસઇ સ્ટેક સેલ દ્વારા રૂપિયા 1.20 લાખ કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર સેલમાં 5 ટકા હિસ્સો વેચવાનો પ્લાન છે.